ગેરકાયદે બાંધકામ મામલે કોર્ટો કડક વલણ અપનાવેઃ સુપ્રીમ કોર્ટ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, May 2, 2025

ગેરકાયદે બાંધકામ મામલે કોર્ટો કડક વલણ અપનાવેઃ સુપ્રીમ કોર્ટ

ગેરકાયદે બાંધકામ મામલે કોર્ટો કડક વલણ અપનાવેઃ સુપ્રીમ કોર્ટ

કાયદાનું અનાદર કરતાં લોકોનું રક્ષણ કરવા કાયદો ઘડવામાં આવે તો કાયદાનો કોઈ અર્થ रहेशे नहीं.

ગેરકાયદે બાંધકામના કેસોમાં કડક અભિગમ અપનાવવાની અદાલતોને તાકીદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામના કેસોમાં કાર્યવાહી કરતી વખતે અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ અને સક્ષમ અધિકારીની જરૂરી પરવાનગી વગર બાંધવામાં આવેલી ઈમારતોને ન્યાયિક રીતે નિયમિત કરવી જોઈએ નહીં.

ગેરકાયદે બાંધકામ મામલે કોર્ટો કડક વલણ અપનાવેઃ સુપ્રીમ કોર્ટ

ન્યાયાધીશ જે બી પારડીવાલા અને આર મહાદેવનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કાયદાએ એવા લોકોના બચાવમાં આવવું જોઈએ નહીં, જેઓ તેનો ભંગ કરે છે, કારણ કે તેનાથી સજામુક્તિનું કલ્ચર વિકસી શકે છે.

તેથી ગેરકાયદેસર બાંધકામના કેસોમાં કાર્યવાહી કરતી વખતે અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ. કાયદાના શાસનને જાળવી રાખવાની કોર્ટની પવિત્ર ફરજમાંથી મક્કમ વલણ જાળવવાની જરૂરિયાત ઉદભવે છે.


સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામ થયા છે તેવા કેટલાંક માળ તોડી પાડવા કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો હતો. 30 એપ્રિલે આપેલા આદેશમાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતમાં પોતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે જે હિંમત અને દૃઢતા સાથે કાર્યવાહી કરી તેની પ્રશંસા કરી હતી.


અરજદારો તરફથી હાજર રહેલા વકીલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેમના ક્લાયન્ટને અનધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરવાની તક આપવી જોઈએ. જોકે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અમને આવી રજૂઆતમાં કોઈ યોગ્યતા દેખાતી નથી., જે વ્યક્તિને કાયદા પ્રત્યે કોઈ માન નથી તે વ્યક્તિને બે માળનું અનધિકૃત બાંધકામ નિયમિત કરવાની મંજૂરી આપી શકાય નહીં. આ મામલો કાયદાના શાસન સંબંધિત છે અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જ જોઈએ. ન્યાયિક મુનસફી માટે કોઇ રસ્તો નથી. અદાલતો કાયદાકીય બંધનોથી મુક્ત નથી. ન્યાય કાયદા અનુસાર જ આપવો જોઈએ. ખંડપીઠે જણાવ્યું હતું કે અમને એ જોઈને દુઃખ થાય છે કે ઘણી રાજ્ય સરકારો ઈમ્પેક્ટ ફીની ચુકવણીના આધારે અનધિકૃત બાંધકામને નિયમિત કરવાના કાયદા ઘડે છે. જો કાયદાનું અનાદર કરતાં લોકોનું રક્ષણ કરવા કાયદો ઘડવામાં આવે તો કાયદાનો કોઈ અર્થ રહેશે નહીં.

No comments: