જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ અંતર્ગત બિનખેતી પરવાનગીના હુકમમાંથી બાંધકામની સમય મર્યાદા દૂર કરવા તથા સંલગ્ન શરતભંગ બાબત
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક : બખપ/૧૦૦૬/૪૨૫/ક તારીખઃ ૧૬-૦૬-૨૦૨૨ સચિવાલય, ગાંધીનગર,
સંદર્ભ :
(૧) મહેસૂલ વિભાગનો તા.૦૧/૦૭/૦૮ નો ઠરાવ ક્રમાંકઃ બખપ/૧૦૦૬/૪૨પ/ક
(૨) મહેસૂલ વિભાગનો તા.૧૨/૧૨/૧૮ નો ઠરાવ ક્રમાંકઃ બખપ/૧૦૦૬/૪૨૫/ક
(૩) મ.વિ .ના તા: ૨૪-૧૨-૨૦૨૧ જાહેરનામા ક્રમાંક : GHM/2021/165/M/BKP/1006/425/K
(૪) મ.વિ.ના તા:૧૮-૦૫-૨૦૨૨ જાહેરનામા ક્રમાંક : GHM/2022/63 /M/BKP/1006/425/K
// પરિપત્ર //
બિનખેતીના પરવાનગીના હુકમોમાંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરત દૂર કરવા અને ગુજરાત જમીન મહેસુલ નિયમો,૧૯૭૨ ના નિયમ-૮૭ હેઠળના સનદનો નમુનો 'ત' માં સુધારો કરવા બાબતે મળેલ સરકારશ્રીની અનુમતિ અન્વયે સંદર્ભ
(3) દર્શિત પ્રાથમિક જાહેરનામું તા: ૨૪-૧૨-૨૦૨૧ ના રોજ અસાધારણ રાજ્યપત્રમાં પસિધ્ધ કરવામાં આવેલ હતું. ત્યારબાદ આખરી જાહેરનામા ક્રમાંક : GHM/2022/63/ M/BKP/1006/425/K, તા: ૧૮-૦૫-૨૦૨૨ ના રોજ અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
૨. સંદર્ભ(૪)દર્શિત જાહેરનામા અન્વયે નિમ્નલિખિત સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે: (૧) ગુજરાત જમીન મહેસુલ નિયમો,૧૯૭૨ ના નિયમ-૮૭ હેઠળના સનદનો નમુનો 'ત'માંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી નિમ્નલિખિત શરત ક્રમાંક: ૦૪ દૂર કરવામાં આવેલ છે:
"4. Time Limit: The Applicant shall within three years from the date of permission shall put the said plot, to the above mentioned non-agricultural use."
( 4. સમય મર્યાદા: અરજદારે પરવાનગીની તારીખથી ત્રણ વર્ષની અંદર ઉપરોક્ત બિન-ખેતી ઉપયોગ માટે આ પ્લોટ મૂકવો પડશે." ) રદ કરેલ છે.
તથા
(૨) ગુજરાત જમીન મહેસુલ સંહિતા, ૧૮૭૯ ની કલમ-૬૫ અંતર્ગતના બિનખેતી પરવાનગીના ઓનલાઇન હુકમોમાંથી બાંધકામ પુર્ણ કરવાની સમયમર્યાદા દર્શાવતી શરત દૂર કરવાની રહેશે.
તથા
(૩) ગુજરાત જમીન મહેસુલ સંહિતા, ૧૮૭૯ ની કલમ ૬૬-૬૭ હેઠળના શરતભંગના કેસો ચલાવતી સમયે બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમયમર્યાદા બાબતના કેસોને શરતભંગ ન ગણવા સર્વે કલેકટરશ્રીઓને સુચિત કરવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment