વેચાણ દસ્તાવેજ સાબિત કરવા માટે વેચાણકર્તા/ સાખ કરનાર સાક્ષી/ લહિયાને તપાસવા જરૂરી નથી.
દાવાવાળી જમીન ઉપરના હક, ટાઈટલ અને હિતની જાહેરાત માટે અને કબજો પરત મેળવવા માટેના દાવામાં, વિચારણા માટેનો પ્રશ્ન એ હતો કે, શું મૂળ વાદીની તરફેણમાં નોંધાયેલ વેચાણ દસ્તાવેજની પ્રમાણિત નકલ કે જેને કોઈ વાંધા વિના આંકે પાડવામાં આવી હતી, તે ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨ની કલમ ૬૫ના આક્ષેપિત બિન-પાલન બદલ પુરાવામાં માહ્ય નથી. પુરાવા અધિનિયમની કલમ ૬૩ મુજબ, વેચાણ દસ્તાવેજ કરાયાની હકીકતથી પરિચિત કોઈ પણ વ્યક્તિ વેચાણ દસ્તાવેજને સાબિત કરી શકે છે. વેચાણ દસ્તાવેજ સાબિત કરવા માટે વેચાણકર્તા અથવા સાખ કરનાર સાક્ષીને અથવા લહિયાને તપાસવા જરૂરી નથી.
No comments:
Post a Comment