જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર (સાટાખત), સોગંદનામું વિગેરે ટાઈટલ નિહિત કરતાં નથી.
સ્થાવર મિલકત પરત્વેના ટાઈટલની જાહેરાતના દાવામાં વાદીએ પોતાનો દાવો જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર, સોગંદનામા વિગેરે ઉપર આધારિત કર્યો હતો, કે જેને નીચલી કોર્ટોએ માન્યતા આપી હતી. પરંતુ માનનીય સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત સિદ્ધાંતો ટાંકીને ઠરાવ્યું હતું કે, જનરલ પાવર ઓફ એટર્ની, વેચાણ કરાર વિગેરે માલિકી ફેરખતો નથી. મિલકત તબદીલી અધિનિયમની કલમ ૫૪ હેઠળ સ્થાવર મિલકતમાં રહેલ માલિકીહક્ક માત્ર યોગ્ય રીતે સ્ટેમ્પ કરાયેલ તેમજ નોંધાયેલ વેચાણ દસ્તાવેજ થકી જ તબદીલ થઈ શકે. સ્થાવર મિલકતનો વેચાણ કરાર (સાટાખત) પોતે જ મિલકતમાં કોઈ હક્ક, ટાઈટલ કે હિતનું સર્જન કરતો નથી. તે માત્ર કરારના વિશિષ્ટ પાલનની દાદ માગવાનો અધિકાર આપે છે. વળી, જનરલ પાવર ઓફ એટર્ની માત્ર એજન્સીનું સર્જન કરે છે અને તે ટાઈટલ તબદીલ કરતો નથી.
સંદર્ભઃ રમેશ ચંદ તેના વારસો થકી વિ. સુરેશ ચંદ
સુપ્રીમ કોર્ટ - સપ્ટેમ્બર ૨૦૨૫


No comments:
Post a Comment