વિદેશમાં બેસી NRI હવે ‘પાવર ઓફ એટર્ની’થી જમીન વેચી શકશે નહીં !
- વિદેશમાં વસતાં NRI અન્યને પાવર ઓફ એટર્ની આપી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવતા હતા.
- હવે ગુજરાતની જમીન કે મિલકત વેચાણ કરવા NRIએ ટિકિટ ખર્ચીને આવવું ફરજિયાત થયું.
- ગેરકાયદે વિદેશમાં ગયેલા ગુજરાતીઓની કરોડોની જમીતોના વેચાણ અટવાઇ પડશે.
ગુજરાત સરકારના નોંધણી સુધારા વિધેયકથી સૌથી વધુ કફોડી હાલત વિદેશમાં ગેરકાયદે ગયેલા લોકોની થવાની છે. વિદેશમાં વસવાટ કરવાની ચાહતમાં ગેરકાયદે વિદેશ પહોંચેલા લોકો અટવાઇ પડશે કેમ કે, ગેરકાયદે વિદેશ પહોંચ્યા હોય તે લોકો સત્તાવાર ભારત પરત આવી શકે તેમ નથી એટલે તેઓએ તેમની માલિકીની જમીન કે મિલક્તનો માત્ર નોટરી કરેલો પાવર ઓફ એટર્ની આપી વેચાણ દસ્તાવેજ કરી શકશે નહીં જેથી કરોડો રૂપિયાની જમીનો અને મિલકતોના વેચાણ અટવાઇ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. બીજી તરફ ગેરકાયદે વિદેશ પહોંચેલા લોકોએ જમીન કે મિલકત વેચાણ કરવા ગુજરાત પરત ફરવા મજબુર બનવું પડશે નહીં તો જમીન કે મિલક્ત વેચાણ કરી શકશે નહીં.
ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં નોંધણી સુધારા (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૧૮ પસાર કરી દીધું છે જેનાથી ભારત બહાર અમેરિકા સહિત અન્ય દેશોમાં વસતાં ગુજરાતીઓની (NRI) મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં કબજા વગરના પાવર ઓફ એટનીની નોંધણી ફરજિયાત કરી દીધી છે જેથી અમેરિકા કે અન્ય દેશોમાં વસતા NRI દ્વારા ગુજરાતમાં પોતાની જમીન કે મિલકત અન્ય વ્યક્તિને પાવર ઓફ એટર્ની આપી દસ્તાવેજની નોંધણી કરાવી શકતા હતા પણ હવે તેઓ અમેરિકા કે અન્ય દેશમાંથી પાવર ઓફ એટર્ની મોલીને દસ્તાવેજ નોંધાવી શકશે નહીં તેઓએ ફરજિયાત ગુજરાતનો ધક્કો ખાવો પડશે. જમીન કે મિલકતના કબજા વગરના પાવર ઓફ એટની આપી વેચાણ દસ્તાવેજ થતાં હતા જે હવે બંધ થઈ જશે. હવે NRI ગુજરાતીએ ફરજિયાત તેમની માલિકી હૈ વડિલોપાર્જિત જમીન વેચાણ માટે ટિકિટ ખર્ચ પાવર ઓફ એટર્નીનું રજિસ્ટ્રેશન કરાવવા આવવું પડશે.
અત્યાર સુધી જમીન કે મિલકતોના પાવર ઓફ એટર્નીના સંદર્ભમાં એવી જીંગવાઇ અમલમાં હતી કે, કબજા સાથેના પાવર ઓફ એટર્ની એટલે કે, કોઇપણ જમીન કે મિલકતનો કબજો લીધો છે. તેવા ઉલ્લેખ સાથે અપાયેલી પાવર ઓફ એટર્નીનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતુ જેમાં નિયમ મુજબ, ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવતી હતી જ્યારે ૧ ટકો રજિસ્ટ્રેશન ફી વસુલવામાં આવતી હતી જ્યારે કબા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત ન હતી જેથી રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરીથી પાવર ઓફ એટર્ની આપી દેવાતી હતી જેથી સ્થિતિ એવી હતી કે, ગુજરાતમાં જમીન કે મિલકત ધરાવતા હોય તેવા NRI ગુજરાત બહાર અન્ય દેશમાં વસવાટ કરતાં હતા પણ તેઓ જ્યારે મિલકત કે જમીનનું વેચાણ કરવાનું નક્કી કરતા હતા તો તેઓ તેમના વિદેશમાંથી નોટરી સમક્ષ પાવર ઓફ એટની કરી તેમના સગા કે અન્યને પાવર આપી દેતા હતા જેના આધારે વેચાણ દસ્તાવેજોની નોંધણી થઇ શકતી નથી પણ હવે રાજ્ય સરકારે કબા સિવાયના પાવર ઓફ એટર્નીની નોંધણી પણ હવે ફરજિયાત બનાવી દીધી છે. આ સંદર્ભનું રજિસ્ટ્રેશન (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૧૮ મંગળવારે વિધાનગૃહમાં રાજ્ય સરકારે બહુમતીથી પસાર કરાયું હતુ એટલે કે, હવે કબજા વગરના પાવર ઓફ એટર્નીનું પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું છે જેથી આ પ્રકારના કબજા વગરના પાવર ઓફ એટર્ની પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઇ રૂબરૂ નોંધણી કરાવવી પડશે.
જાણકારો કહે છે કે, રાજ્ય સરકારે નોંધણી એક્ટમાં કરેલા સુધારાથી એનઆરઆઇને મુશ્કેલી પડશે. પહેલા તો NRI વિદેશમાં વસવાટ કરતાં હોય તો પણ તેમની માલિકીની ગુજરાતની જમીન કે મિલકત માત્ર પાવર ઓફ એટર્ની મોકલીને વેચાણ કરી શકતા હતા જેમાં તેઓ વેચાણ કરવાનો પાવર આપતાં હતાં જેના આધારે દસ્તાવેજની નોંધણી થઇ શકતી હતી પણ હવે તો તેવું શક્ય બનશે નહીં જેથી એનઆરઆઇને જમીન કે મિલકત વેચાણ કરવા માટે ગુજરાતનો ધક્કો ખાવો પડશે.
બીજી તરફ વિદેશમાં વસતા એનઆરઆઇને ફાયદો થશે તેવું સરકારી અધિકારીઓ માની રહ્યાં છે એમનો તર્ક એવો છે કે, અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં જમીનના ભાવ વધ્યાં છે જેથી ખોટા પાવર ઓફ એટર્ની કરી NRIને છેતરવામાં આવતા હતા તેમના નામના પાવર ઓફ એટર્ની ઉભા કરી બારોબાર વેચાણ દસ્તાવેજ થઈ જતા હતા. NRIની સાથે છેતરપીંડી થતી હતી તે બંધ થઇ જશે. આમ વિદેશમાં વસતા NRIને ફાયદો પણ થશે તો સાથે તેમણે થોડી મુશ્કેલી પણ વેઠવી પડશે.
No comments:
Post a Comment