મૃત્યુ બાદ વારસાઈમાં નામ કેવી રીતે ચડાવી શકે છે જાણો ક્યાં નિયમો લાગુ પડે છે. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, April 29, 2023

મૃત્યુ બાદ વારસાઈમાં નામ કેવી રીતે ચડાવી શકે છે જાણો ક્યાં નિયમો લાગુ પડે છે.

 મૃત્યુ બાદ વારસાઈમાં નામ કેવી રીતે ચડાવી શકે છે જાણો ક્યાં નિયમો લાગુ પડે છે.

  • હિન્દુ સક્સેસન મુજબ મૃત્યુ પછી વારસાઈ
  • ઓન લાઇન વારસાઇ કરવા બાબત. https://iora.gujarat.gov.in/OnlineAppl.aspx 
  • પેઢીનામુંં, મૈયતનો દાખલો, સોગંદનામું આ પ્રમાણે પુુુુુરાવા જોઇએ. 
  • વીલ-વસિયતનામાં મુજબ પ્રોપર્ટીના ભાગલા
કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી વારસદારના નામે પ્રોપર્ટી કરવા માટે બે પ્રકારો હોય છે 
1. વ્યક્તિએ મૃત્યુ પહેલા વિલ બનાવ્યું હોય તો તે મુજબ.
2. વ્યક્તિના મૃત્યુ પહેલા કોઈ પણ વિલ નથી બનાવ્યું 

વિલ બનાવ્યું હોય તો નામ કેવી રીતે ચડાવવું.

વીલ-વસિયતનામું એટલે કે, કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની પોતાની મિલકત કોને મળે અને તેની વ્યવસ્થા અને વહેંચણી કઈ રીતે થાય તે માટેનો કોઈ લેખ યા દસ્તાવેજ કોઈ વ્યક્તિ બનાવે તો તે વીલ - વસિયત નામું કહેવાય. જો કોઈ વ્યક્તિ પોતાની હયાતી દરમ્યાન વીલ-વસિયતનામું તૈયાર કરી ગયેલ ન હોય તો તેની મિલકત માટે વારસા ધારો લાગુ પડે છે. વીલ-વસિયતનામાનો અમલ વીલ કરનાર વ્યક્તિ ગુજરી ગયા બાદ જ થઈ શકે છે.

વિલ અસ્થાયી દસ્તાવેજ છે

વીલને અસ્થાયી દસ્તાવેજ પણ કહેવામાં આવે છે કારણ કે વિલને બદલી શકાય છે રદ કરી શકાય છે અને વિલ ત્યારે જ જીવંત ગણાય છે જયારે વિલ બનાવનાર વ્યક્તિ મૃત્યુ પામે, જ્યાં સુધી વ્યક્તિ જીવંત છે ત્યાં સુધી આ વિલ મૃત દસ્તાવેજ તરીકે મનાય છે.



વિલનું પ્રોબેટ

ઘણી વાર વિલનો અમલ કરવા માટે અધિકારીઓ દ્વારા વિલનું પ્રોબેટ માંગવામાં આવે છે, પ્રોબેટ એટલે સિવિલ કોર્ટ દ્વારા અસલ વિલની સહી સિક્કા વાળી પ્રમાણિત નકલ 

પ્રોબેટ કેવી રીતે મેળવી શકાય

વ્યક્તિના વારસદાર દ્વારા સિવિલ કોર્ટમાં અરજી કરવાની હોય છે આ અરજીમાં અરજદારે વિલની કોપી જોડવાની હોય છે સાથે જ તેમાં મૃત્યુ માપેલ વ્યક્તિના વારસદારના પુરા નામ સરનામું ઉંમર અને વ્યવસાય લખવાનો રહે છે. અને કોર્ટ તેમને પ્રોબેટ મેળવાની તારીખ આપી દે છે. જયારે આ પ્રોબેટ મેળવવા માટે કોઈ માહિતી છુપાવવામાં આવે છે, તો આ ડોક્યુમેન્ટ ગેરકાયદેસર ગણવામાં આવે છે

નામ ચડાવવાની પ્રક્રિયા 

મ્યુનિસિપલ રેવન્યુ અને સોસાયટીમાં નામ ચડાવવા માટે વ્યક્તિએ પ્રોબેટ આપવાનું રહેશે સાથે મૃત વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર, વિલની ખરી નકલ અને નામ ચડાવા માટેની અરજી અપાવની રહેશે. આ પ્રોસેસ કરતા પહેલા સગાં ભાઈ બહેનોની મંજુરી લેવી હિતાવહ છે. વીલથી થતા નામ ફેરમાં વ્યક્તિએ સ્ટેમ્પ ડ્યુટી લગતી નથી.

વિલ કર્યા વગર વ્યક્તિનું અવસાન થાય 

જો વિલ વગર મિલકત ધારક પુરુષ કે સ્ત્રી હોય તો બંને માટે હિન્દુ સક્સેસનમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે, જો પુરુષ વિલ કર્યા વગર અવસાન પામે તો કલમ 8 હેઠળ ચાર શિડયુલ લાગુ પડે. અને જો મહિલા વિલ વગર મૃત્યુ પામે તો કલમ 15 હેઠળ કાયદો લાગુ પડે. જયારે પુરુષ મૃત્યુ પામે ત્યારે તેના વારસદારોમાં પત્ની, પુત્ર પુત્રીઓ, પુત્રના વારસદાર કે પુત્રીના વારસદારનો સમવેશ થાય છે. અને શિડયુલ 1 મુજબ પ્રોપર્ટીના નામ ચડાવવામાં આવે છે. વારસદારે નામ ચડાવા માટે અરજી ફોર્મ ભરવાનું રહે છે. આ ફ્રોમ નગરપાલિકા કે કલેકટર કચેરીમાંથી મળી રહે છે.

વારસાઈ કરવાની બાબતમાં પેઢીનામું 

જમીન ધારક/મિલકત ધારક કે જેમના નામે જમીન/ મિલકત ચાલતી હોય તેનું મૃત્યુ થાય ત્યારે વારસાઈ(Heirship) કરવાની થાય છે. જેમાં મૃત્યુ પામનારના કાયદેસરના વારસોના નામ મહેસૂલી રેકર્ડ ઉપર લાવવાની પ્રક્રીયાને વારસાઈ તરીકે ઓળખવામાં આવે છે. કાનુની પરિભાષામાં ભારતીય વારસાહક્ક અધિનિયમની જોગવાઇઓ મુજબ જમીન/ મિલ્કતની વહેંચણી કે હિસ્સો મૃત્યુ પામનાર કાયદેસરના વારસદારોને પ્રાપ્ત થાય છે. જમીન મહેસૂલ અધિનિયમની હક્કપત્રની જોગવાઇઓમાં વારસાઇ કરવી તે મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાનો પણ એક ભાગ છે અને તે પ્રક્રીયામાં જમીનનો ખાતેદાર /મિલકત ધારકનું મૃત્યુ થાય ત્યારે મરણના દાખલા સાથે વારસાઈ કરવા માટે સબંધિત વિસ્તારના મામલતદારને અરજી કરવાની હોય છે. જો સંબંધિત મિલ્કત સીટી સર્વે વિસ્તારમાં હોય તો તે વિસ્તારનાં સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટને અરજી કરવાની હોય છે. વારસાઈની પ્રક્રીયામાં જે કાયદેસરના વારસોના નામ દાખલ કરવાપાત્ર હોય તેમાં સાધનિક પુરાવા તરીકે પેઢીનામું રજૂ કરવાનું હોય છે. જેમાં લોહીના સબંધના સીધી લીટીનાં વારસદારોના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ પેઢીનામામાં મૃતકનાં દિકરી અને બહેનોને પણ ૧૯૫૬ ના કાયદા મુજબ હક્ક મળવાપાત્ર હોઇ તેઓનો પણ પેઢીનામામાં ઉલ્લેખ કરવાનો હોય છે. અગાઉ આ પેઢીનામું પંચોની રૂબરૂમાં તલાટી દ્વારા તૈયાર કરવામાં આવતું જેમાં કોઈ દાખલ કરવાપાત્ર વારસદાર કોઈકવાર રહી જવા પામતા- આ પેઢીનામાને વારસાઈ આંબો (Family Tree) તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ ખેતીવિષયક કે બિનખેતી વિષયક જમીન મહેસૂલી રેકર્ડમાં ચાલતી હોય અને તેના કબ્જેદાર માલિક મૃત્યુ પામે ત્યારે તેની વારસાઈ ગામના હક્કપત્રકના નમુના નં - ૬ માં થાય છે. તે જ રીતે સીટી સર્વે વિસ્તારમાં મિલ્કતનો ઘારક મૃત્યુ પામે ત્યારે તેની વારસાઈ મિલ્કત રજીસ્ટરે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ  દ્વારા કરવામાં આવે છે અને આ અંગે પણ નિયત નમૂનો મહેસૂલ વિભાગે નક્કી કર્યો છે અને તે અંગેનો તા.૨૩-૪-૨૦૦૭ના ઠરાવ ક્રમાંક સીટીએસ/૧૨૨૦૦૫/૨૮૦૯ / હ કરવામાં આવ્યો છે અને આમાં સીટી સર્વેનાં તમામ પ્રકારના ફેરફાર વારસાઈ સહિતની વિગતવાર માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે.

વારસાઈ કરવાની બાબતમાં પેઢીનામું એક અગત્યના સાધનિક પુરાવા તરીકે તમામે કાયદેસરનાં વારસદારોનો સમાવેશ કરવાના ભાગ તરીકે તૈયાર કરવાનું હોય છે અને આ પેઢીનામું તૈયાર કરવાની જવાબદારી સંબંધિત ગામના તલાટીની હોય છે. તલાટીની એટલા માટે કે સંબંધિત ગામ/વિસ્તારના તલાટીને મરણ નોંધણીના (Death Registration) રજીસ્ટાર તરીકે પણ અધિકૃત કરવામાં આવ્યા છે એટલે કોઈપણ ખાતેદાર/મિલ્કત ધારક મૃત્યુ પામે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં તલાટીએ નમુના નં - ૧૪માં નોંધ કરવાની છે અને ગ્રામ્ય અધિકારી તરીકે અગાઉ હક્કપત્રકમાં વારસાઈ નોંધ તલાટી દ્વારા પાડવામાં આવતી હતી. હવે ઇ-ધરા કેન્દ્રમાં મામલતદાર કચેરીમાં વારસાઈ નોંધ પાડવામાં આવે છે. પરંતુ સાધનિક કાગળો તલાટી દ્વારા તૈયાર કરવામાં આવે છે. રાજ્ય સરકારના મહેસૂલી વિભાગનાતા.૧૪-૫-૨૦૧૪ ઠરાવમાં પેઢીનામું તૈયાર કરવાની સુચનાઓ આપેલ છે અને આ પરિપત્રમાં ખેતીની જમીન- બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ)ની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ હોવાથી તેનું અર્થઘટન સિમિત સ્વરૂપે એટલે કે ખેતીની જમીન તેમજ બિનખેતીની જમીન (ખૂલ્લા પ્લોટ) પુરતું મર્યાદિત પેઢીનામું તૈયાર કરવાની અને તે અંગે ગેરસમજ હોવાના કારણે ખેતીની જમીનમાં/મિલ્કતમાં વારસાઈ કરવાના પેઢીનામામાં મુશ્કેલીઓ જણાતી હતી. જેથી ખેતીની જમીન તથા બિનખેતીની જમીન (ખૂલ્લા પ્લોટ) ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં પરંતુ સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફ્લેટો, એપાર્ટમેન્ટ, વાણિજ્ય દુકાનો, ઑફિસો જેવી તમામ સ્થાવર મિલ્કતો(ઇમલા સહિતની મિલ્કતો) બાબતે પણ સંબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામા બનાવી આપવાની જોગવાઈ તાજેતરમાં મહેસૂલ વિભાગના તા.૨૦-૯-૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક - હક્ક/ ૧૦૨૦૧૪ / ૭૫૬ /જ અન્વયે કરવામાં આવી છે. આ ઉપરાંત સંબંધિત તલાટીઓ દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિના સ્થળ અને નોંધણી બાબતોમાં પણ દ્વીધા હતી. તેમાં સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું અવસાન સ્થાયી રહેણાંકના સ્થળ અથવા વતનના સ્થળના તલાટીએ પેઢીનામું કરવાનું રહેશે. અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટીને અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. એટલે કે બન્નેમાંથી કોઇપણ સ્થળે અરજી કરવામાં આવે તો સબંધિત તલાટીએ પેઢીનામું આપવાની કાર્યવાહી પણ કરવાની રહેશે.

બીજુ કે મહેસૂલ વિભાગનાં અગાઉના તા.૧૪-૫-૨૦૧૪ના ઠરાવમાં અરજદારે પેઢીનામું સોગંધનામામાં કરવાનું હતું અને તે અંગેનો નિયત નમૂનો પણ નક્કી કરવામાં આવેલ હતો. હવે આ સુધારેલ પરિપત્રથી સોગંધનામાનાં બદલે Self Declaration એટલે કે સ્વઘોષણા કરવાની રહેશે અગાઉ જે પેઢીનામું તૈયાર કરવામાં આવતું તેમાં તલાટી સમક્ષ પંચોની રૂબરૂ પેઢીનામું તૈયાર કરવામાં આવતું હતું. હવે પેઢીનામું સોગંધનામા ઉપર કરવાની જરૂર નથી. રાજ્ય સરકારે આ અંગેનો નિયત નમૂનો પણ તૈયાર કર્યો છે. આમ જનતાને વારસાઈ કરાવવાની બાબતમાં પેઢીનામાની પ્રક્રીયાની જાણકારી હોતી નથી અને આને કારણે ગામ દફતરે કે શહેરી વિસ્તારમાં જમીન/મિલ્કતમાં ધારકના મૃત્યુ બાદ કાયદેસરનાં વારસદારોના નામ દાખલ કરવા માટે પેઢીનામું અગત્યનો દસ્તાવેજી પુરાવો હોય છે. જેથી લોકોને ઉપરોક્ત જાણકારી પેઢીનામું મેળવવામાં અને ત્યારબાદ વારસાઈ કરાવવામાં ઉપયોગી સાબિત થશે.

તમામ વારસદારને નોટીસ પાઠવાવમાં આવે છે
જયારે કોઈ વારસદારના નામે પ્રોપર્ટી કરવામાં આવે છે ત્યારે તેની સાથે જોડાયેલ તમામ વારસદારને નોટીસ મોકલવામાં આવે છે. સાથે જ બહેનોએ જો હક જતો કર્યો હોય તો તેમને પણ નોટીસ મોકલવામાં આવે છે. સાથે જ જે મિલકત નામે કરવની હોય છે તેમાં રહેલા તમામ વેરો પણ જોવામાં આવે છે જો કોઈ જુના વેરાઓ બાકી હોય તો તેને ભરવાના રહે છે.

બોજો અને હક જતો કરનારને નોટીસ
જો મિલકત લોન પર લીધી હોય અને બોજો ચડાવવામાં આવ્યો હોય તો લોન આપનારને પણ નોટીસ મોકલવામાં આવે છે. મિલકતમાં નામ ઉમેરાયા બાદ એક નામ કમીની અલગ એન્ટ્રી પાડવામાં આવે છે. જે લોકો હક જતો કરે છે તે લોકોની નામ કમીની એન્ટ્રી પડે છે.


No comments: