ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Monday, December 9, 2024

ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક: RD/MAA/e-file/15/2022/0001/Z ( Land Ref ) સચિવાલય, ગાંધીનગર તા.૨૯/૧૧/૨૦૨૪

એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત.

પ્રસ્તાવના :-

ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે પૂર્વવત જોગવાઇ ન હોઇ, આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

 

ઠરાવ:-

પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે, ખેડૂત દ્વારા એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખથી ૧ (એક) વર્ષની સમયમર્યાદામાં કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદારે સદર પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે.

આ ઠરાવની જોગવાઇ પ્રસિધ્ધ થયા તારીખથી અગાઉ એક વર્ષ જુની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત.


No comments: