ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, December 9, 2024

ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક: RD/MAA/e-file/15/2022/0001/Z ( Land Ref ) સચિવાલય, ગાંધીનગર તા.૨૯/૧૧/૨૦૨૪

એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત.

પ્રસ્તાવના :-

ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે પૂર્વવત જોગવાઇ ન હોઇ, આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

 

ઠરાવ:-

પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે, ખેડૂત દ્વારા એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખથી ૧ (એક) વર્ષની સમયમર્યાદામાં કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદારે સદર પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે.

આ ઠરાવની જોગવાઇ પ્રસિધ્ધ થયા તારીખથી અગાઉ એક વર્ષ જુની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત.


No comments: