ગણોતિયાના હકકો નક્કી કરવાની સત્તા કલેક્ટરને અપાયેલી છે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, August 23, 2024

ગણોતિયાના હકકો નક્કી કરવાની સત્તા કલેક્ટરને અપાયેલી છે

ગણોતિયાના હકકો નક્કી કરવાની સત્તા કલેક્ટરને અપાયેલી છે

ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ની મહત્વની જોગવાઈઓ

ગણોતિયાને સલામતી બક્ષતો કોઈ કાયદો સને ૧૯૩૯ પહેલાં ન હતો ત્યાર પછી ગણોતિયાને ગણોતની જમીન પરત્વે રક્ષણ મળે, તેની પાસેથી વાજબી ગણોત લેવાય તેવો કોઈ પ્રબંધ ત્યાં સુધી હતો નહીં. ૧૯૩૯માં મુંબઈ ગણોત કાયદો (નં.૨૯/૩૯) તા. ૨-૪-૪૦ ના રોજ કાયદો બન્યો તે માત્ર થોડાક જિલ્લામાં અમલમાં મુકાયો અને ગુજરાતના (હાલના )માત્ર સુરત જિલ્લામાં તે તા.૧-૪-૪૧ ના રોજ અમલમાં મુકાયો સને ૧૯૩૯ ના કાયદાઓની ત્રૂટિઓ દુર કરવા સને ૧૯૪૬ માં આ કાયદામાં વિસ્તૃત સુધારા કરાયા અને સુધારેલો કાયદો સને ૧૯૪૬ના નવેમ્બરની ૮ મીથી સમગ્ર રાજ્યમાં અમલમાં આવ્યો. તેમાં જે મુખ્ય જોગવાઈઓ હતી તે નીચે મુજબની હતી, તેમાં ખેતીની જમીનના વહીવટ બાબતની કોઈ જોગવાઈ ન હોવાથી તેનું નામ માત્ર મુંબઈનો ગણોત કાયદો હતું.
ગણોતિયાના હકકો નક્કી કરવાની સત્તા કલેક્ટરને અપાયેલી છે

(૧) સંરક્ષિત ગણોતિયો : જે ગણોતિયાનો જમીન પરત્વેનો કબજો કે ખેડ હકક તા. ૧-૧-૧૯૩૮ પહેલાં સતત છ વર્ષથી હોય તેવા ગણોતિયાને સંરક્ષેત ગણોતિયા ગણવામાં આવ્યા કોઈ શખસ ગણોતિયા કે સંરક્ષિત ગણોતિયો નથી તે પુરવાર કરવાનો બોજો જમીન માલિક ઉપર ઠરાવવામાં આવ્યો. વાજબી ગણોતઃ સંરક્ષિત ગણોતિયો વાજબી ગણોત ઠરાવવા માટે અરજી કરી શકે તેવી જોગવાઈ આ કાયદામાં હતી એટલે ઈચ્છા મુજબનું ગણોત લેવા બાબત પર અંકુશ આવ્યો.

(૨) હક્ક સમાપ્તિ ઃ જમીન માલિક એક વર્ષની લેખિત નોટિસ આપીને તે હક્ક સમાપ્ત કરી શકે તેવી જોગવાઈ થઈ અને જાત ખેતી માટે જમીન મેળવવા અથવા બિનખેતી ઉપયોગ માટે માગણી કરી શકાય. જાતખેતી માટે કેટલી જમીન માગી શકાય તેની કોઈ મર્યાદા ન હતી જાત ખેતી માટે કે બિનખેતી હેતુ માટે જમીનમાં તે રીતે એક વર્ષમાં ઉપયોગ ન થાય કે તેવો ઉપયોગ ૧૨ વર્ષમાં કોઈ પણ વખતે બંધ થાય તો જમીન મૂળ ગણોતિયાને પાછી આપવાની રહેશે તેવી જોગવાઈ હતી અને ગણોતિયા પાસેથી માત ગણોત લેવાની સ્પષ્ટતા હતી. સને ૧૯૩૯નો આ કાયદો આ સુધારાઓ પછી પણ અપુરતો જણાતાં સને ૧૯૪૨માં આ કાયદામાં સુધારો કરી સૈન્યમાં ભરતી થયેલા રક્ષિત ગણોતિયાને તથા જમીન માલિકોને તેમની જમીનો પેટે કે ગણોત આપવાની છુટ અપાઈ. સને ૧૯૪૦માં ફરી પાછો આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને સુધારા સાથેનો કાયદો તા.૦૮-૧૧-૪૦ થી અમલમાં આવ્યો અને તે સુધારામાં કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો.
(૩) ત્યારબાદ સને ૧૯૪૮ નો ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો થયો. દેશ સ્વતંત્ર થયા પછી અને ખેત ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બને તે જરૂરી હોવાથી અને જમીન ખેડનારને તે જમીન પરત્વે ચોકક્સ હક્કો હોય તો જે તે સંભવી શકે તેમ લાગવાથી ગણોતિયાના વધુ રક્ષણ માટે અને ખેતીની જમીનના કાર્યક્ષમ ઉપયોગ ઉપર પણ રાજ્યનો અંકુશ રહી શકે જાતે દૃષ્ટિથી અને ખેતીની જમીન અંગે જે એક ચોકક્સ નીતિ થતાં વિચારસરણી દેશ માટે સ્વીકારાઇ, તે ધ્યાનમાં લઈને સને ૧૯૪૮ નો મુંબઈનો ગણોત અને ખેતીની જમીનનો વહીવટનો કાયદો ઘડાયો. આ કાયદામાં સને ૧૯૩૯ ના કાયદાની અગત્યની બાબતો સમાવી લેવામાં આવી.
(૪) ૧૯૪૮ ની સ્થિતિમાં આ કાયદાની નીચે મુજબ જોગવાઈઓ અગત્યની હતી.

(૧) સુકી જમીન માટે અને સિંચાઈની જમીન માટે જુદા જુદા ભાગે ગુરૃત્તમ અને ઓછું ગણોત તરીકે લેવાની જોગવાઈ દાખલ કરી.
(૨) ઠરાવ્યા કરતાં વધુ ગણોત લેનારે તે પાછું આપવાનું ઠરાવ્યું તે ઉપરાંત ગણોતિયાને તેની પાસેથી વધુ લેવાયેલા ગણોત માટે વળતર આપવાનું ઠરાવ્યું.
(૩) વાજબી ગણોત ઠરાવવાના અધિકારો, મામલતદારને અપાયા અને તે ઉપર કલેક્ટરને અપીલ કરવાની જોગવાઈ કરાઈ દિવાની કોર્ટમાં આ માટે અપીલ થઈ શકતી તે બંધ થયું.
(૪) ગણોતિયો પોતાની જમીન પરત્વેના હક્ક પુરતો જમીન ઉપર બોજો કરી શકે તેવી જોગવાઈ કરાઈ.
(૫) સંરક્ષિત ગણોતિયો પોતે ધરાવતો હોય તે જમીન વાજબી કિંમતે ખરીદી શકે તેવો હક્ક તેને અપાયો આવી ખરીદી ૫૦ એકરની મર્યાદામાં ઠરાવી એટલે સંરક્ષિત ગણોતિયો પોતાની પાસે કુલ ૫૦ એકર જેટલી જમીન થાય ત્યાં સુધીની જમીન ખરીદી શકે, તેવી જ રીતે જમીન માલિક પણ જાત ખેતી માટે ૫૦ એકર સુધીની જમીન મેળવી શકે તેવું ઠરાવ્યું.
(૬) જમીનદારોની જમીન ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા તથા જમીનના કાર્યક્ષમ વહીવટ માટે સરકારી વહીવટમાં લેવાની જોગવાઈ કરી.
(૭) જમીન માલિકોના જમીન વેચાણ અંગેના હક્કો ઉપર પ્રતિબંધ મૂકી એમ ઠરાવ્યું કે ખેતીની જમીનો જો જમીન માલિક વેચવા ઈચ્છતા હોય તો પહેલાં ગણોતિયાને અને તે પછી નજીકના ખેડૂતને અને તે પછી અન્ય ખેડુત ને વેચી શકાય તેવું ઠરાવ્યું બિનખેડુતોને જમીન ન વેચી શકાય તેવું ઠરાવ્યું બિનખેડુતોને ખેડુત થવા માટે ક્લેકટરનું સર્ટિફિકેટ મેળવવાની જોગવાઈ પણ કરવામાં આવી.
(૮) સતત બે વર્ષ સુધી વણખેડાયેલી જમીનોનો વહીવટ સરકાર હસ્તક લેવાના અધિકારો મેળવાયા.
(૫) મુંબઈના ૧૯૪૮ ના આ કાયદામાં ભૂતપૂર્વ મુંબઈ રાજ્ય વખતે સુધારા તેમજ ગુજરાતની અલગ રાજ્ય તરીકેની રચના પછી અસંખ્ય સુધારા થયા છે આ સુધારાઓમાં નીચેની મહત્વની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે:
(૧) સુધારા કાયદા કે જે તા. ૧-૮-૫૬ ના રોજ અમલમાં આવ્યા. ખેડુત દિનની મહત્વની જોગવાઈ તેનાથી દાખલ કરવામાં આવી તે મુજબ તા. ૧-૪-૫૭ ના રોજ બીજાની જમીન કાયદેસર ખેડતા ઈસમોને જમીન ખરીદવા હકકદાર બનાવ્યા.

(૨) સુધારા કાયદા ગુજરાત એક્ટ ૫/૧૯૭૩ થી કાયદામાં મહત્વની જોગવાઈઓ ઉમરવામાં આવી: 

(૧) ગણોતિયો તા. ૧૫-૬-૫૫ ના રોજ ખેતીની જમીનનો કબજો ધરાવતો હોય. (૨) તા.૩-૩-૭૩ પહેલાં કોઈ પણ વખતે મામલતદારના હુકમ સિવાય તેવા ગણોતિયાને જમીન પરથી દૂર કર્યો હોય.

(૩) જમીન માલિકના કે તેમના કોઈ ઉત્તરાધિકારીના કબજામાં જમીન હોય.

(૪) તા.૩-૩-૭૩ ના સુધારાથી ખરીદી બિનઅમલી જાહેર થયેલી જમીન માટે જમીનમાલિકને અગ્રતા આપવા અંગેની પેટા કલમ રદ થઈ.

(પ) તા.૩-૩-૭૩ પહેલા જમીનનો બિનખેતી ઉપયોગ થયો ન હોય તેવા કિસ્સામાં હટાવેલા ગણોતિયાનો ગણોત હક્ક પ્રસ્થાપિત થઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવી.
(૩) સરકારશ્રીના પરિપત્રમાં જણાવ્યા અનુસાર રાજય સરકારે કાયદો ૩૦/૭૦ તા.૪-૧૧-૭૭ ના સુધારાથી એવી ક્રાન્તિકારી જોગવાઈ કરી છે કે જો ગણોતિયો તા.૧૫-૬-૫૫ ના રોજ કબજો ધરાવતો હોય અને તા.૩-૩-૭૩ પહેલાં તેને હાંકી કાઢવામાં આવ્યો હોય, પરંતુ તેવો ગણોતિયો મળવાપાત્ર જમીન જો તે જાતે ખેતી કરવા બાંહેધરી ન આપે તો આવી જમીન જમીન માલિકને નહીં સોંપતાં સરકાર હસ્તક લેવાની છે.

 (૪) ગણોતધારાના કાયદા ૧૬/૦૦ થી સુધારો કરી તા.૧-૪-૫૭ પછીના ગણોતિયાને ખરીદ હક્ક અપાયો છે, તે મુજબ તા.૧-૪-૫૦ પછી કોઈપણ એક વર્ષ સુધી જમીન ખેડી હોય તો પણ તે ખરીદનાર બને છે. આ કલમનો દુરૂપયોગ થતો જોવા મળે છે. ગણોતધારાની કલમ- ૬૩ હેઠળ બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શક્તા ન હોઈ પરોક્ષ રીતે ખેડુત બનવા માટે આ કલમનો ઘણા દુરુપયોગ કરે છે.
(૫) ગણોતધારામાં સને ૧૯૬૦ ના સુધારાથી દાખલ કરી છે, જેના અનુસંધાને સરકારશ્રીએ કાયમી ગણોતિયાના હકકો નક્કી કરવા બાબતની ગણોતધારાની કલમ 9૦0 (ઓ) હેઠળની સત્તાઓ તા.૦9-૧૦-૨૦૦૫ ના પરિપત્રથી કલેક્ટરને આપી છે.

નોંધઃ-(જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‹નવગુજરાત સમય› ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

No comments: