નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત . - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, September 14, 2022

નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત .

 નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત.


પ્રસ્તાવના :-

ગણોતધારા સહિતની નવી અને અવિભાજય શરતની જમીનોને ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જુની શરતમાં ફેરવતી વખતે પ્રિમીયમ લેવાના હેતુ માટે ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક : ( ૩ ) ના ઠરાવની જોગવાઇ મુજબ જંત્રી મુજબના મુલ્યાંકન પ્રમાણે રૂ.૫/- કરોડથી વધારે મુલ્યાંકન અંગેના પ્રકરણો સરકારશ્રીની પૂર્વમંજુરી અર્થે મોકલી આપવાના રહેતા હતા. પ્રિમીયમ અંગેના કેસોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે કલેકટરોને મૂલ્યાંકનની પ્રવર્તમાન રૂ.પ/- કરોડની સત્તામાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. 

ઠ રા વઃ 

સરકારશ્રી કાળજીપૂર્વકની વિચારણાને અંતે આમુખ (૩) ઉંપરના તા.૨૯/૧૨/૨૦૧૫ ના ઠરાવ અંગે નીચે મુજબનો ફેરફાર કરવાનું ઠરાવે છે. 

( ૧ ) જંત્રી મુજબ થતા મુલ્યાંકન પ્રમાણે રૂ.૧૫/- ( પંદર ) કરોડ સુધીના મુલ્યાંકન અંગેની સત્તા જિલ્લા કલેકટરીને રહેશે.

( ર ) રૂ.૧૫/- ( પંદર ) કરોડથી વધારે મુલ્યાંકન થતું હોય તેવા પ્રકરણો સરકારશ્રીને પૂર્વમંજુરી અર્થે મોકલી આપવાના રહેશે.

( 3 )  અન્ય સૂચનાઓ યથાવત રહેશે.

( ૪ ) ઉક્ત જોગવાઇ આ ઠરાવ પ્રસિધ્ધ થયાની તારીખથી અમલમાં આવશે. 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે

નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત .

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક : નશજ/ ૧૦૨૦૦૬/૫૭૧/જ ( પાર્ટ -૨ ) સચિવાલય, ગાંધીનગર તારીખ : ૦૮/૦૬/૨૦૨૦

No comments: