જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવેલ હોય તે ખેડૂતોને લઘુત્તમ વળતરના પેકેજમાં વળતરને લગતી પ્રથમ અનુસૂચિમાં આપવામાં આવેલ વળતરના પેકેજ મુજબ વળતર આપવાનું રહેશે. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, January 10, 2023

જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવેલ હોય તે ખેડૂતોને લઘુત્તમ વળતરના પેકેજમાં વળતરને લગતી પ્રથમ અનુસૂચિમાં આપવામાં આવેલ વળતરના પેકેજ મુજબ વળતર આપવાનું રહેશે.

સંપાદન થતી જમીનનું વળતર નક્કી કરવા માટેની પદ્ધતિ

 (કલમ ૨૯ થી ૩૦, ૩૯ અને ૯૬ અને અનુસૂચિ-૧) :

જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવેલ હોય તે ખેડૂતોને લઘુત્તમ વળતરના પેકેજમાં વળતરને લગતી પ્રથમ અનુસૂચિમાં આપવામાં આવેલ વળતરના પેકેજ મુજબ વળતર આપવાનું રહેશે.

(૧) જમીનની પ્રવર્તમાન બજાર કિંમત = કલમ ૨૬ હેઠળ જોગવાઈ કર્યા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં જમીનની બજાર કિંમત = શહેરી વિસ્તારથી પ્રોજેક્ટના અંતર ઉપર આધારિત નક્કી કરવામાં આવેલ ૧

અથવા ૨ ગુણાંક શહેરી વિસ્તારમાં જમીનની બજાર કિંમત = નક્કી કરવામાં આવેલ ૧ ગુણાંક

(૨) જમીન સાથે જોડાયેલ અસ્ક્યામતોની કિંમત = કલમ ૨૯ હેઠળ જોગવાઈ કર્યા મુજબ

(૩) સોલેશ્યમ (દિલાસા વળતર) રકમ = ૧૦૦ ટકા વળતરની કમ

(૪) આખરી એવોર્ડ=(q) + (2) + (3)

ગ્રામ્ય વિસ્તારમાં એવોર્ડ જમીનની બજાર કિંમત = ગ્રામ્ય વિસ્તારમાં નક્કી કરેલો ગુણાંક + જમીન સાથે જોડાયેલી અસ્કયામતોની કિંમત + સોલેશ્યમ કમ

શહેરી વિસ્તારનો એવોર્ડ = જમીનની બજાર કિંમત ક શહેરી વિસ્તારમાં નક્કી કરેલો ગુણાંક + જમીન સાથે જોડાયેલી અસ્ક્યામતોની કિંમત + સોલેશ્યમ રકમ

સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. ૨૯-૭-૨૦૧૬ના જાહેરનામા અને ઠરાવ અનુસાર ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તાર માટે બે ગુણાંક અને શહેર વિસ્તાર માટે એક ગુણાંક નક્કી કરવામાં આવેલ છે.


જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ની કેટલીક મહત્ત્વની જોગવાઈઓ :


(૧) કલમ - ૨ ની પેટા - કલમ (૨) મુજબ અસરગ્રસ્ત કુટુંબોની સંમતિની આવશ્યક્તા

(૨) કલમ - ૪ સામાજિક અસરોનો મૂલ્યાંકન અભ્યાસ કરાવવો ફરજિયાત

(૩) કલમ-૧૦ ખાદ્ય સુરક્ષાની જોગવાઈ

(૪) કલમ - ૪૬ ખાનગી કંપનીઓ માટે ખાનગી ખેડૂતો પાસેથી ખાનગી વાટાઘાટો કરી જમીન ખરીદવાની જોગવાઈ

(૫) કલમ-૫૧ દિવાની કોર્ટને બદલે સત્તાતંત્રની રચના

(૬) કલમ-૯૯ હેતુમાં ફેરફાર કરી શકાશે નહીં. (૭) કલમ-૧૦૦ સક્ષમ અધિકારીની પરવાનગી વિના માલિકીમાં ફેરફાર કરી શકાશે નહીં.

(૮) કલમ-૧૦૧ વપરાશ વિનાની જમીન મૂળ જમીન માલિક અથવા તેના કાયદેસરના વારસદારોને પરત કરવી અથવા લેન્ડ બેન્કમાં અનામત રાખવાની જોગવાઈ.

(૯) કલમ-૧૦૪ જમીન ભાડે લેવાનો અથવા લીઝ ઉપર લેવાનો સરકારનો વિકલ્પ

(૧૦) અધિનિયમની અનુસૂચિ-૨ મુજબ પુનઃ સ્થાપન અને પુનર્વસનની મહત્ત્વની જોગવાઈ

(૧૧) કલમ-૧૦૭ રાજ્યના કાયદા અથવા નીતિ અનુસાર ખેડૂતોને વધુ વળતર અને પુનઃસ્થાપન અને પુનર્વસન મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ


સંમતિ (Consent) (કલમ-૨ની પેટા કલમ(૨)નો ખંડ (એ) અને (બી)) :

અધિનિયમની કલમ ૨ ની પેટા કલમ (૨)ના ખંડ (એ) અને (બી) હેઠળ ખાનગી કંપની અને પી.પી.પી. મોડેલ માટે જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવા અસરગ્રસ્ત કુટુંબોની આગોતરી સંમતિ મેળવવાની આવશ્યક્તા, જાહેર ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ (પી.પી.પી. મોડેલ) માટે જાહેર હેતુ માટે જમીન સંપાદન કરતાં પહેલાં ૭૦ ટકા અસરગ્રસ્ત કુટુંબોની પૂર્વસંમતિ. સુધારા કાયદા નં. ૧૨/૨૦૧૬ ની જોગવાઈ મુજબ કલમ ૧૦ ક ની યાદીના પ્રોજેક્ટો માટ સંમતિ અને સામાજિક અસર સમીક્ષામાંથી મુક્તિ આપવાની જોગવાઈ કરેલ છે. ખાનગી કંપનીઓ માટે જાહેર હેતુ માટે જમીન સંપાદન કરતા પહેલાં ૮૦ ટકા અસરગ્રસ્ત કુટુંબોની પૂર્વસંમતિ આવશ્યક છે.

શીડ્યુલ વિસ્તારમાં જમીન સંપાદન કરતાં પહેલાં ગ્રામસભા | નગરપાલિકા મહાનગરપાલિકાની પૂર્વસંમતિ, રાજ્ય સરકારની સંમતિની કામગીરીમાં જવાબદારી, સંપાદક સંસ્થાની સંમતિની કામગીરીમાં જવાબદારી, રાજ્ય સરકાર નક્કી કરે તેવી પ્રક્રિયા મારફતે સંમતિ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે, અધિનિયમની કલમ ૪ ની જોગવાઈ મુજબ સામાજિક અસર સમીક્ષા અભ્યાસની સાથે સંમતિ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી કાયદામાં જોગવાઈ કરેલ છે.


સામાજિક અસર સમીક્ષા અભ્યાસ (SIA) (કલમ ૪ થી કલમ ૯) :

સામાજિક અસર સમીક્ષા અભ્યાસ ફરજીયાત, રાજ્ય સરકાર જાહેર હેતુ માટે જમીન સંપાદન કરતાં પહેલાં સામાજિક અસર સમીક્ષા અભ્યાસ કરવા જાહેરનામું બહાર પાડશે. આ નવી જોગવાઈને કારણે જાહેર હેતુ માટેનો કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં આ પ્રોજેક્ટની જે તે અસરગ્રસ્ત વિસ્તારમાં કયા પ્રકારની હકારાત્મક અને નકારાત્મક અસરો થનાર છે તેનો અભ્યાસ કરવાની જોગવાઈને કારણે પ્રોજેક્ટથી થનાર અસરો અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

No comments: