દબાણ (જમીન મહેસૂલ અધિનિયમ ૧૯૭૯ ક્લમ-૬૧) - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Tuesday, January 10, 2023

દબાણ (જમીન મહેસૂલ અધિનિયમ ૧૯૭૯ ક્લમ-૬૧)

દબાણ  (જમીન મહેસૂલ અધિનિયમ ૧૯૭૯ ક્લમ-૬૧)

(1). સરકારશ્રીની વિવિધ પ્રકારની જમીનો જેવા કે 

(૧) ગ્રામ્ય વિસ્તાર

(૨) ગામતળ 

(૩) શહેરી વિસ્તાર 

(4) સીટી સર્વે વિસ્તાર 

(૫) ગૌચર વિસ્તારની જમીનોમાં બિન અધિકૃત રીતે ખેતી વિષયક અગર તો બિનખેતી વિષયક બાળો દિવસે દિવસે વધતો જોવે છે આવા દબાણો થતા અટકાવવા અને દા બધેલ હોપ તો તાકીદે દૂર કરાવવા જરૂરી છે, તેના સબંધમાં મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક -૧૦૮૮-૮૯-૧ તા ૧૮-૧-૮૫ થી આવા દબાણો દૂર કરાવવાની સંપૂર્ણ મદારી સંબંધિત ત્રિય અધિકારીશ્રીના ઠરાવેલ છે.

(2). આવી જમીનો ઉપરના દબાણો દૂર કરાવવાની કયા ક્ષેત્રિય અધિકારીશ્રીની છે તેની વિગત નીચે મુજબ છે.

1. ગ્રામ્ય વિસ્તારની સરકારી પડતર જમીનમાં દબાણ હોય તો મામલતદારશ્રીએ જમીન મહેસૂલ કાયદાની કલમ ૬૧ હેઠળની કાર્યપાહી હાથ ધરી તેવું દબાણ દૂર કરાવવાનું છે. 

2. જુના ગામતળની જમીનમાં દબાણ હોય તો જે તે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ અને નવા ઠરાવેલ ગામતળના જમીનમાં દબાણ હોય જે તે મામલતદારશ્રીએ તેવા દબાણ દૂર કરાવવાના છે.

૩.નગરપાલિકા શહેરી વિસ્તારની જમીનમાં દબાણ હોય તો સબંધિત નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૮૫ ની જોગવાઈ ધ્યાને લઈ તેવા દબાણ દૂર કરવાના છે. 

4. સીટી સર્વે વિસ્તારની જમીન ઉપરના દબાણો જેવા કે લારી ગલ્લાના, રસ્તા પૈકીના વિગેરે દબાણો સંબંધિત સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીએ દૂર કરવાનાં છે. 

5. ગૌચર જમીનમાં દબાણ હોય અગર તો ગ્રામ પંચાયતને સંપ્રાપ્ત થયેલ જમીનમાં દબાણી હોય તો તાલુકા વિકારા અધિકારીશ્રીએ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૦૫ ની જોગવાઈ ધ્યાને લઈ તેવા દબાણ દૂર કરવાનાં છે. 

(3). હવે આવા દબાણો બે પ્રકારના હોય છે જેવા કે (૧) ખેતી વિષયક દબાણો અને (ર) બિનખેતી વિષયક દબાણ. આ બિનખેતી વિષયક દબાણોમાં (૧) રહેણાંક (૨) વાણીજય (૩) ઔધોગિક (૪) શૈક્ષણિક અને (૫) સખાવતી પ્રકારના દબાણો હોય છે. આવા દબાણી દૂર કરાવવા સંબંધમાં જમીન મહેસૂલ કાયદાની કલમ ૬૧ માં શિક્ષાની શું જોગવાઈ હોય છે તેની વિગત નીચે મુજબ છે.

ખેતી વિષયક દબાણ

(એ) સરકારી જમીન

આવી જમીનમાં ખેતીના આખા નંબરનો આકાર તથા રૂા.૫- કે આકારના ૧૦ પટ તે બેમાંથી જે વધુ હોય તેટલા દંડ લેવાનો છે તથા દબાણદારની હકાલપટ્ટી તથા તેવી જમીનમાં પાક હોય તો તેવો પાક ખાલસા પણ કરવાનો છે. દબાણ જયારથી થયેલ હોય ત્યારથી લેવાનો છે તથા તેને લાગુ પડતા અન્ય કરવેરા પણ વસુલ લેવાના છે.

બિન આકા૨ી જમીન

જમીનનો આકાર ઠરાવેલ ન હોય તો આવી જમીનનો તે જ ગામની તેજ વિસ્તારની બીજી જમીનનો જે આકાર ઠરાવેલ હોય તે આકાર ધ્યાને લઈ આકા૨ી જમીન માટે જે શિક્ષા ઠરાવેલ છે તે મુજબની જ શિક્ષા ધ્યાને લેવાની છે.

બિન  ખેતી વિષયક દબાણ

જેટલી જમીનનું દબાણ થયેલ હોય તેટલી જમીનની. ગામના પ્રવર્તમાન બનખેતીના દરો ધ્યાને લઈ આકાર નથી. બિનખેતી ગાકારના ૧૦૦ પટ પરંતુ રૂપિયા ૨૫૦/- થી વધુ નહી તેટલો દંડ તથા હાલપટ્ટી લઘા વાદગ્રસ્ત બાંધકામ દૂર કરવાનું છે. હવે આવી બિનખેતી વિષયક આકાર જયારથી નોંધકામ યેલ હોય ત્યારથી લેવાનો છે અને તેનાં ઉપર લાગુ પડતા અન્ય કરવેરા વસુલ કરવાના છે.


No comments: