જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી ? - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, June 18, 2022

જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી ?

જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી ? 

મહેસુલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે.

જમીનના હકદાર કે કબજેદાર તરીકે હંમેશા એક પ્રકારની સતર્કતા અને ચોકસાઇ રાખવાની જરૂર હોય છે. વખતો વખત તેની અધિકૃત એન્ટ્રીઓને ચકાસતા રહેવું પડે છે. તમારા હક્ક-હિતને જોખમમાં મૂકતી હોય એવી કોઈ બાબત તેમાં અકસ્માતે કે ઈરાદાપુર્વક દાખલ તો નથી થઈ ગઈને તેની તકેદારી રાખવાની હોય છે. ઘણીવાર તમારી જમીનના રેકર્ડમાં સરકારનું નામ આવી જતું હોય છે.

રાજ્યમાં ઘણા ગામો નગરોની જમીનમાં ગામ નમુના નંબર ૭/૧૨ ના સર્વે/બ્લોક નંબરોમાં એટલે કે રેવન્યુ રેકર્ડમાં સરકારનું નામ કબજેદાર તરીકે દાખલ કરેલ હોય છે. કયા કારણોસર સરકાર દાખલ થયેલ હોય તે ઉત્તરોત્તર જુના રેવન્યુ રેકર્ડ ઉપરથી તપાસ કરવાની બાબત બને છે. ઘણી વખત જમીનના મૂળ માલિકની જાણ કે અજાણતા અથવા તો કોઈ હુકમના શરત ભંગ બદલ પણ જમીનમાં સરકાર દાખલ થાય છે.


તેવી જમીન ખાનગી માલિકીની જાહેર કરવા માટે હક્ક દાવો કરનાર તરફથી પુરાવા સાબિત કરવા માટેનો બોજો અરજદાર ઉપર રહે છે. અરજદારે જમીન મહેસુલ કાયદા નીચે દાદ લેવાની થતી બધી જોગવાઈનો ઉપયોગ કરેલ ન હોય, ત્યાં સુધી દીવાની કોર્ટમાં સરકાર વિરુદ્ધ જઈ શકાય નહીં. કોઈ પણ દફ્તરમાં કોઈ પણ ફેરફાર નોંધથી કોઈ પણ પ્રકારનો હુકમ વગર જમીનના રેકર્ડમાં સરકાર લખાઈ જવાથી જમીન સરકારી બનતી નથી. પરંતુ તેવી જમીનને ખાનગી માલિકીની જમીન છે. તેવું પુરવાર કરવા માટે જે તે કબજેદારો એ સરકારની વિરુદ્ધ હક્ક દાવો કરવો જરૂરી છે.

અધિકારીએ કલમ 37(2)ની તપાસમાં કરેલ ઠરાવ ઉપર કલેકટર રિવિઝનના અધિકાર ના ચલાવી શકે. અધિકારીએ કરેલ હુકમની રાજ્ય સરકાર તરફથી પુનઃઅવલોકન, રીવ્યુ કે રીવીઝનમાં લેવામાં આવે છે અને જો ચુકાદા સરકારની વિરુદ્ધમાં હોય તો ગુજરાત મહેસુલ પંચમા સમય મર્યાદામાં પડકારી શકાય છે.

૩૭(૨)ની જ્યાં સુધી કાર્યવાહી ચાલતી હોય અને આખરી નિકાલ ના થાય ત્યાં સુધી કલેકટર કલમ-૬૧ હેઠળના અધિકાર એટલે કે સરકારી જમીન ઉપર દબાણ દુર કરવાના અધિકારનો અમલ કરી શકાતો નથી. સરકાર તરફથી કોઇ પણ પ્રકારથી સિવિલ દાવો એક વર્ષમાં ન થાય તો તેવા સંજોગોમાં સમય મર્યાદા લક્ષમાં રાખી કે તે ખાનગી માલિકી તરીકે જાહેર થયેલી વ્યક્તિના નામ મહેસુલ દફતરે દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

No comments: