ગુજરાતના વેપારી અન્ય રાજ્યમાંથી ઈ-નામ લઇ સોલા પ્લેટફોર્મ પર ખેતપેદાશોની ખરીદી કરી શકશે. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Friday, September 15, 2023

ગુજરાતના વેપારી અન્ય રાજ્યમાંથી ઈ-નામ લઇ સોલા પ્લેટફોર્મ પર ખેતપેદાશોની ખરીદી કરી શકશે.

ગૃહમાં ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ-વેચાણ અધિનિયમ સુધારા વિધેયક પસાર.

  ગુજરાતના વેપારી અન્ય રાજ્યમાંથી ઈ-નામ લઇ સોલા     પ્લેટફોર્મ પર ખેતપેદાશોની ખરીદી કરી શકશે.  

રાજ્ય વિધાનસભા ગૃહમાં ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ-વેચાણ અધિનિયમ -1963 સુધારા વિધેયક ચર્ચાને પસાર કરાયું હતું. આ વિધેયકમાં કલમ-8(2)ની એક નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જે મુજબ, કાયદામાં ગમે તે મજકુર હોય તેમ છતાં, ઈ-નામ પ્લેટફોર્મ પર આંતર રાજ્ય વેપાર વધે તે માટે પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ હેઠળ અન્ય રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશના લાયસન્સ ધરાવનાર વેપારી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરાર કરે, તે કરારની શરતોને આધીન ઈ-નામ પ્લેટફોર્મ પર ખેત પેદાશોની ખરીદી કરી શકશે.

ગુજરાતના વેપારી અન્ય રાજ્યમાંથી ઈ-નામ લઇ સોલા પ્લેટફોર્મ પર ખેતપેદાશોની ખરીદી કરી શકશે.

આ વિધેયર પરની ચર્ચાને અંતે તેના જવાબમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ વિધેયક પસાર થવાથી ગુજરાતના વેપારીઓ અન્ય રાજ્યમાંથી ઈ-નામ પ્લેટફોર્મ પર ખેતપેદાશો ખરીદી શકશે. ઓનલાઈન સોદા થવાથી હરીફાઈ વધશે, જેને લીધે ખેડૂતોને વધુમાં વધુ ભાવ પ્રાપ્ત થશે. આ ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધશે અને કરચોરી પણ અટકશે.

ગુજરાતના વેપારી અન્ય રાજ્યમાંથી ઈ-નામ લઇ સોલા પ્લેટફોર્મ પર ખેતપેદાશોની ખરીદી કરી શકશે.

અસક્ષમ થેલા મંડળીઓને APMCમાંથી દૂર કરતું વિધેયક બહુમતીથી પસાર થયું

ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ વેચાણ ઉત્તેજન અને સરળીકરણ સુધારા વિધેયક-૨૦૨૩ ગુરુવારે રાજય વિધાનસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે શાસક પક્ષ ભાજપ તરફથી બહુમતીના જોરે પસાર કરાયું હતું. વિપક્ષના સિનિયર સભ્યોએ સુધારા વિધેયકનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, નાના વેપારીઓ, નાના મિશન એજન્ટો કે નાની થેલામંડળીઓને ઉત્તેજન આપવાને બદલે તેમનો છેદ મતદારયાદીમાંથી કાઢવા માટે લવાયેલા આ બિલને સમર્થન આપી શકાય નહી. સહકારી પ્રવૃત્તિમાં જોડાયેલા ભાજપના નેતાઓને આ ક્ષેત્રમાં ખાઉં.... ખાઉં... ખાઉં... સિવાય બીજું કશું કરવું નથી, એમણે એમનું શાસન સદાય રહે તે માટે છેલ્લે ૨૦૨૦માં સહિત કુલ ૧૧ વખત કાયદામાં સુધારા છે. કર્યાં થેલામંડળીઓમાં પગાર કરવાનાય ફાંફાં છે ત્યારે એમને સક્ષમ કરવાને તેમનો એકડો કાઢી નાખવાના સુધારા સાથે કોઈ કાળે સંમત થઈ શકાય નહીં, એમ કહી સદર બિલની જોગવાઈઓનો વિરોધ કર્યો હતો. જો કે સહકાર મંત્રીએ તમામ વિરોધ- વાંધા ફગાવી બિલ પસાર કરાવ્યું હતું.

અસક્ષમ થેલા મંડળીઓને APMC માંથી દૂર કરતું વિધેયક બહુમતીથી પસાર થયું




No comments: