ધી મુંબઈ વિલીન પ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫ જમીનોના સત્તાપ્રકાર (કબજા હક્કની શરતો )નું સ્પષ્ટીકરણ (Clarification) કરવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, September 11, 2023

ધી મુંબઈ વિલીન પ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫ જમીનોના સત્તાપ્રકાર (કબજા હક્કની શરતો )નું સ્પષ્ટીકરણ (Clarification) કરવા બાબત.

ધી મુંબઈ વિલીન પ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫  જમીનોના સત્તાપ્રકાર (કબજા હક્કની શરતો ) નું સ્પષ્ટીકરણ (Clarification) કરવા બાબત.


પ્રસ્તાવના :-


ગુજરાત રાજ્યમાં વિવિધ સત્તાપ્રકાર નાબૂદી કાયદાઓ (ઇનામ નાબૂદી કાયદાઓ) હેઠળ કબજેદારોને જમીનો પરત્વે કબજા હક્ક આપીને તેની મહેસૂલી રેકર્ડ એટલે કે ગામ નમુના નં-૬ તથા ગામ નમુના નં-૭/૧૨ માં તત્કાલીન સમયે નોંધો કરવામાં આવી છે. પરંતુ મહેસુલી રેકર્ડમાં નોંધાયેલા કબજા હક્ક કઈ શરતે ગણવા તે બાબતે સ્પષ્ટતા થતી ન હોવાથી મહેસુલી વહીવટમાં મુશ્કેલીઓ પ્રવર્તે છે તે બાબત સરકારશ્રીના ધ્યાન પર આવી છે.


રાજ્યની મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ કરીને લોકાસિમુખ વહીવટના ઉદ્દેશને સિધ્ધ કરવાના હેતુથી વિવિધ સત્તાપ્રકાર નાબુદી કાયદાઓ હેઠળની જમીનોનાં સત્તાપ્રકાર એટલે કે કબજા હક્કની શરતો નક્કી કરીને તેની ભલામણો કરવા ઉપર આમુખમાં વંચાણે લીધેલા મહેસુલ વિભાગના ક્રમાંકઃ- (૧) અને (૨) ના પરિપત્રોથી શ્રી સી.એલ.મીના (આઇ.એ.એસ. નિવૃત)ના અધ્યક્ષપદે સમિતિની રચના પુન: રચના કરવામાં આવી હતી. ઉકત સમિતિએ વિસ્તૃત અભ્યાસ કરીને તેનો અહેવાલ તા.૩૧/૧૨/૨૦૨૦ના રોજ સરકારશ્રીના મહેસુલ વિભાગને રજુ કરેલ છે. સમિતિએ રજુ કરેલ ભલામણ અહેવાલના આધારે સત્તાપ્રકાર નાબુદી કાયદાઓની જોગવાઈઓ તથા સરકારશ્રીએ આ કાયદાઓ સબંધમાં સમયાંતરે બહાર પાડેલ વહીવટી સુચનાઓ વગેરે ધ્યાને રાખીને કબજા હક્કની શરતો બાબતમાં સ્પષ્ટીકરણ કરતી સુચનાઓ બહાર પાડવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. સત્તાપ્રકાર નાબુદી કાયદાઓ પૈકી ધી મુંબઇ વિલીનપ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫ હેઠળ કબજેદારોને મળેલા જમીનોનાં કબજા હક્કની શરતોના સ્પષ્ટીકરણ બાબતમાં સરકારશ્રીએ કાળજીપૂર્વકની વિચારણા કરી છે.

ધી મુંબઈ વિલીન પ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫  જમીનોના સત્તાપ્રકાર (કબજા હક્કની શરતો ) નું સ્પષ્ટીકરણ (Clarification) કરવા બાબત.


ઠરાવ :-

કાળપૂર્વકની પુખ્ત વિચારણાને અંતે શ્રી મુંબઇ વિબીનોશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫ હેઠળ કબજેદારોને મળેલા જમીનોનાં કબજા હક્કની શરતોનું સ્પષ્ટીકરણ (Clarification) નીચે દર્શાવ્યા પ્રમાણે કરવાનું આથી ઠરાવવામાં આવે છે.


૧. કલમ-૬ રૈયત ઉપયોગી સેવાના ઇનામ અન્વયે ધારણ કરેલ દુમાલા જમીનો સંબંધી ખાતેદારના હક્કોની શરતો.

(૧) કલમ-૬(અ) તથા (બ) મુજબ આવી જમીન ચાકરીયાત પોતે ધારણ કરતો હોય અને જો આવી ચાકરી અથવા સેવા બદલની જમીન યાકરી અથવા સેવા બંધ કરતાં/ થતાં સરકાર દાખલ કરવાની શરત મુજબની હોય તેવી જમીનોનાં ચાકરીયાતે સરકારને આકારની છ પટની રકમ ભરીને પ્રાપ્ત કરેલા કબજા હક્ક નવી અને અવિભાજ્ય શરતનાં ગણાશે. તે જ પ્રમાણે, 

(૨) કનિષ્ઠ ધારણ કરનારે ધારણ કરેલ જમીનો પરત્વે પણ સરકારને છ પટની રકમ ભરીને પ્રાપ્ત કરેલા કબજા હક્ક નવી અને અવિભાજ્ય શરતનાં ગણાશે.

(3) ચાકરીયાત દ્વારા જમીન ધારણ કરનારને ગણોતધારા મુજબ હક્ક મેળવવાનાં થતાં હોવાથી આવા કબજેદારોને ધ મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો,૧૯૪૮ની જોગવાઇઓ લાગુ પડશે.


ર.કલમ-૭ મુજબ વતન જમીનો સરકાર નિહિત કરીને રીગ્રાન્ટ કરવાની જોગવાઇ છે.

(૧) વતનની જમીનોની પતાવટ (સેટલમેન્ટ)ની શરતો મુજબ જો વતન જમીન તબદીલ થઈ શકે તેવી હોય તે જમીનો કશી પણ કબજા કિંમત લીધા વિના કબજેદારને આપવામાં આવેલી હોય તેવી જમીનો જુની શરતની ગણાશે. પરંતુ,

(૨) તબદીલીના અધિકાર વગરની આકારનાં ૧૨ પટ લઈને આપેલી જમીનો નવી અને અવિભાજ્ય શરતની ગણાશે. આ ઉપરાંત,

(3) વતનની જમીન નોકરી બદલના મહેનતાણા તરીકે મુકરર થયેલ ન હોય તો આવી જમીન પરત્વે આકારના છ પટની રકમ સરકારમાં ભરીને પ્રાપ્ત કરેલા કબજા હક્ક નવી અને અવિભાજ્ય શરતનાં ગણાશે.


૩. કલમ-૮ મુજબ વાંટા અથવા ગિરાસના કબજા હક્ક

(અ) બારખલી સિવાયની વાંટા અથવા ગીરાસની જમીનોના કબજા હક્ક

(૧) કલમ-૮ મુજબ બારખલી સિવાયની વાંટા અથવા ગૌરાસની જમીનો ગીરાસીયાના કબજામાં હોય તેવી જમીનોનાં કબજા હક્ક જુની શરતનાં ગણાશે.

(૨) જો આવી જમીન કાયમી ગણોતીયાના કબજામાં હોય તો ગીરાસીયાને આકારનાં છ પટની રકમ ભરીને કાયમી ગણોતીયાએ પ્રાપ્ત કરેલા કબજા હક્ક જુની શરતનાં ગણાશે.

(3) ગીરાસીયાની જમીન સામાન્ય કે સંરક્ષિત ગણોતીયાના કબજામાં હોય તો આવા ગણોતિયાને ધ મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, ૧૯૪૮ની જોગવાઈને આધિન ગણોત હક્ક પ્રાપ્ત થતાં હોવાથી આવા કેસોમાં કૃષિપંચે કેસ ચલાવીને ગણોતીયાનાં હક્ક પ્રસ્થાપિત કરેલ હોય તો તેવા ગણોતીયાનાં કબજા હક્ક ધી મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, ૧૯૪૮ ને આધિન રહેશે.


૩.(બ) જીવાઇની બારખલી જમીનોના કબજા હક્ક.

(૧) જીવાઇની બારખલી જમીનોના કિસ્સામાં જીવાઇદારે ધારણ કરેલ જમીનોનાં કબજા હક્ક જુની શરતના ગણાશે.

(૨) જીવાઈ જમીનોનાં કાયમી ગણોતીયાએ જીવાઇદારને આકારની છ પટની રકમ ભરીને પ્રાપ્ત કરેલા કબજા હક્ક જુની શરતનાં ગણાશે.

(3) જીવાઇની બારખલી જમીનોનાં સામાન્ય કે સરક્ષિત ગણોતીયાને ધ મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, ૧૯૪૮ની જોગવાઇને આધિન ગણોત હક્ક પ્રાપ્ત થતાં હોવાથી આવા કેસોમાં કૃષિપંચે કેસ ચલાવીને ગણોતીયાનાં હક્ક પ્રસ્થાપિત કરેલ હોય તો તેવા ગણોતીયાનાં કબજા હક્ક ગણોતધારાને આધિન રહેશે.

(૪) દેવસ્થાન, પીરસ્થાન કે સરકારને ઉપયોગી ચાકરી માટે ધારણ કરેલ જમીન સિવાયની કોઇપણ બીજી બારખલી જમીનનાં કિસ્સામાં, જો આવો ધારણ કરનાર ધર્માદાય ચાકરીયાત કે પસાયતા ચાકરીયાત પ્રકારનો હોય અને બરોડા ગીરાસ રૂલ્સ પ્રમાણે આવી જમીન કાયમી તબદીલી ન હોય તો તેવી જમીન માટે રાજ્ય સરકારને આકારની છ પટ રકમ ભરીને પ્રાપ્ત કરેલાં કબજા હક્ક નવી અને અવિભાજ્ય શરતનાં ગણાશે.


૪. કલમ-૯ ની જોગવાઇઓ મુજબ કલમ-૬(યાકરીયાત ઈનામ), કલમ-૭(વતન રીગ્રાન્ટ) અથવા કલમ-૮(વાંટા અને ગીરાસની જમીનો) સિવાયની ધર્માંદાય ચાકરીયાત જમીનો, સલામીયા, જાત ધર્માદાય, વજીફા, હાડીયા, વેચાણીયા, ઘરેણીયા, રણવટીયા, બથામણીયા વગેરે પ્રકારની જમીનોના સ્વત્વાર્પણને લાગુ પડે છે.

(૧) જો આવી જમીન તબદીલીથી લેનાર પાસે હોય તે કિસ્સામાં જો આવી તબદીલી મહેસુલ માફી અથવા મહેસુલ માફી વગરની જમીનની ગ્રાન્ટના સ્વરૂપમાં હોય તે કિસ્સામાં તબદીલીથી લેનારે જમીનના આકારની ૬ ગણી રકમ સરકારને ભરીને પ્રાપ્ત કરેલા કબજા હક્ક નવી અને અવિભાજ્ય શરતના ગણાશે,

(૨) જો આવી જમીન કનિષ્ઠ ધારણ કરનારના કબજામાં હોય તે કિસ્સામાં પણ કનિષ્ઠ ધારણ કરનારે જમીનના આકારની ૬ ગણી રકમ સરકારને ભરીને પ્રાપ્ત કરેલા કબજા હક્ક નવી અને અવિભાજ્ય શરતના ગણા.

(૩) જો મુદા નં-૪(૧) માં જણાવેલ તબદીલીથી લેનારના ગણોતીયા પાસે જમીનનો કબજો હોય તે કિસ્સામાં ધ મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, ૧૯૪૮ની જોગવાઈને આધિન ગણોત હક્ક પ્રાપ્ત થતાં હોવાથી આવા કેસોમાં કૃષિપંચે કેસ ચલાવીને ગણોતીયાનાં હક્ક પ્રસ્થાપિત કરેલ હોય તો તેવા ગણોતીયાનાં કબજા હક્ક ગણોતધારાને આધિન રહેશે.


૫. કલમ-૧૦ ની જોગવાઇના અર્થમાં ઉપર જણાવેલ કલમ-૬(ચાકરીયાત ઈનામ), કલમ-૭(વતન રીગ્રાન્ટ), કલમ-૮(વાંટા અને ગીરાસની જમીનો) તથા કલમ-૯ હેઠળની જમીનો માટે નક્કી કરેલ કબજા કિંમત ઠરાવેલ સમયમાં ભરવામાં ચૂક થાય તો આવો કબજો બિનઅધિકૃત ગણાતો હોવાથી કબજેદાર હકાલપટ્ટીને પાત્ર બને છે.

6. કેટલાક કિસ્સાઓમાં મહેસુલી દફતરમાં એટલે કે ગામ નમુના નં-૭/૧૨ મુજબ જમીનનાં સત્તાપ્રકારમાં જુની શરત દર્શાવેલ હોય છે. પરંતુ હક્કપત્રકની નોંધ એટલે કે ગામ નમુના નં-૬ માં પ્રતિબંધિત સત્તાપ્રકાર અથવા નવી શરતનાં નિયંત્રણોની નોંધ હોવા છતાં તેની અસર ૭/૧૨ માં આપવામાં આવેલ હોતી નથી અને આવી જમીનોનું વખતો વખત વેચાણ થયેલ હોય છે અને તેવી નોંધોને મંજુરીઓ પણ આપવામાં આવેલ હોય છે. આવા કિસ્સામાં મહેસુલ વિભાગે તા.૧૭/૩/૨૦૧૭ના પરિપત્ર ક્રમાંકઃ- ગણત/૩૦૧૬/૨૧૩૫/ઝ થી પ્રિમીયમ વસુલ લઈ શરતફેરની મંજુરી આપવા બાબતે બહાર પાડેલ સુચનાઓ લાગુ પાડીએ.

7. ' કાયદાની કલમ-૧૧ મુજબ તબદીલીથી લેનાર સિવાય આવી જમીનોમાં બીજા કોઈ વ્યક્તિનાં હક્ક જે શરતે સ્થાપિત કરવામાં આવ્યાં હોય તે સિવાય તમામ જમીનો સરકારમાં પ્રાપ્ત થાય છે. તેથી આવી જમીનોનો નિકાલ ધ મુંબઇ મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ અને તે હેઠળના નિયમ મુજબ થશે. આવી જમીનોનો નિકાલ કરતી વખતે પ્રવર્તમાન નવી અને અવિભાજ્ય શરતો લાગુ પડશે.

8. થી મુંબઇ વિલીનપ્રદેશો પરચુરણ સ્વત્વાર્પા નાબૂદી એકટ-૧૯૫૫ સંદર્ભમાં ચાલતાં મહેસુલી કેસો, આવી જમીનોનાં ખેતી સિવાયના ઉપયોગ માટે હેતુફેરની મંજુરીઓ વગેરે નિર્ણયો માટે મહેસુી રૅકર્ડ તથા કરાવની સુચનાઓ ધ્યાને લઇ ગુરદોષ આધારે નિર્ણય લેવાનાં રહેશે.

ધી મુંબઈ વિલીનપ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫  જમીનોના સત્તાપ્રકાર (કબજા હક્કની શરતો )નું સ્પષ્ટીકરણ (Clarification) કરવા બાબત.

ધી મુંબઈ વિલીનપ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫  જમીનોના સત્તાપ્રકાર (કબજા હક્કની શરતો )નું સ્પષ્ટીકરણ (Clarification) કરવા બાબત.

ધી મુંબઈ વિલીનપ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫  જમીનોના સત્તાપ્રકાર (કબજા હક્કની શરતો )નું સ્પષ્ટીકરણ (Clarification) કરવા બાબત.
ધી મુંબઈ વિલીનપ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫  જમીનોના સત્તાપ્રકાર (કબજા હક્કની શરતો )નું સ્પષ્ટીકરણ (Clarification) કરવા બાબત.


ધી મુંબઈ વિલીનપ્રદેશો પરચુરણ સ્વત્વાર્પણ નાબૂદી એકટ-૧૯૫૫  જમીનોના સત્તાપ્રકાર (કબજા હક્કની શરતો )નું સ્પષ્ટીકરણ (Clarification) કરવા બાબત.

No comments: