રહેણાંકના હેતુ માટે રાહતદરે ફાળવવામાં આવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવા બાબત - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Tuesday, March 4, 2025

રહેણાંકના હેતુ માટે રાહતદરે ફાળવવામાં આવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવા બાબત

રહેણાંકના હેતુ માટે રાહતદરે ફાળવવામાં આવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવા બાબત.

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક: જમન/૧૦૧૯/૫૩૨/અ ता. 16/03/2019

પરિપત્ર:

મહેસૂલ વિભાગની પ્રવર્તમાન નીતિ મુજબ રાહતદરે ફાળવેલ પ્લોટ પૂર્વમંજૂરીથી મકાન સહિત પ્લોટ વેચાણના કિસ્સામાં બજાર કિંમતના ૫૦% પ્રિમિયમ વસૂલ કરી મંજૂરી આપવાની જોગવાઈ છે જ્યારે અનધિકૃત વેચાણના કિસ્સામાં બજાર કિંમતના ૭૫% પ્રિમિયમ વસૂલ કરી અનધિકૃત વેચાણ નિયમિત કરવાની જોગવાઈ થયેલ છે. જ્યારે બજાર કિંમતે રહેણાંક હેતુ માટે ફાળવેલ પ્લોટ વેચાણ કરવાના કિસ્સામાં તા.૨૯/૦૯/૧૭ તથા તા. ૦૧/૧૧/૧૮ના ઠરાવથી જોગવાઈ કરવામાં આવેલ છે.



સરકારશ્રી દ્વારા જ્યારે રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે છે ત્યારે રાહત દરે ફાળવેલ પ્લોટ/મકાનનું એકવાર વેચાણ થઇ જાય ત્યારબાદ તેવા પ્લોટ/ મકાનોમાં મહેસૂલ વિભાગના તા.૨૯/૦૯/૧૭ તથા તા.૦૧/૧૧/૧૮ના ઠરાવ મુજબ નહીં પરંતુ મહેસૂલ વિભાગના તા.૦૬/૦૬/૨૦૦૩ના ઠરાવની જોગવાઈ મુજબ જ આગામી કાર્યવાહી કરવાની રહે છે.

રહેણાંકના હેતુ માટે રાહતદરે ફાળવવામાં  આવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં  ફેરવવા બાબત


No comments: