સંપાદનનાં જાહેરનામાની તારીખે જમીનની બજારકિંમત નિશ્ચિત કરવા માત્ર જંત્રીના દરો ઉપર આધાર રાખી શકાય નહીં જમીન સંપાદનની કાર્યવાહીમાં સંદર્ભ કેસનાં કામે નોંધવામાં આવ્યું હતું કે , પ્રશ્નવાળી જમીનની બજારકિંમત નિશ્ચિત કરવા માટે દાવેદારો ‘ જંત્રી'ના દરો સિવાય અન્ય કોઈ સામગી રેકર્ડ ઉપર લાવ્યા નથી . સામાન્ય રીતે જમીનનું સ્થાન , તેનો ધંધાકીય ઉપયોગ તેમજ તે વિસ્તારની આસપાસના વિકાસ અંગે જણાવવા સિવાય બીજી કોઈ વિશેષ વિગતો આપવામાં આવી નથી . ચોક્કસપણે ન તો કોઈ તાજેતરના ભૂતપૂર્વ વેચાણનાં ઉદાહરણો , કે ન તો કોઈ ઍવૉડ , કે ન તો તે જ સરખા સમયગાળા દરમિયાન આવી જ સરખી જમીનોનાં સંપાદનને સંબંધિત કોઈ ચુકાદાઓ રેકર્ડ ઉપર લાવવામાં આવ્યા છે . તેથી કલમ ૪ ( ૧ ) નાં જાહેરનામાની તારીખે જમીનની સાચી બજારકિંમત નિશ્ચિત કરવા માટે એકમાત્ર ‘ જંત્રી’ના દરો ઉપર આધાર રાખવાનું સુરક્ષિત નહોતું . બંને પક્ષોને પુરાવા રજૂ કરવાની તક આપ્યા બાદ નવેસરથી ઍવૉર્ડ કરવા માટે સંદર્ભ કોર્ટને કાર્યવાહી પરત મોકલવામાં આવી . ( Ref .: જયંતીલાલ ચંદુલાલ લાકડાવાલા વિ . સ્પેશિયલ લેન્ડ એકિવઝિશન ઓફિસર - ગુજરાત હાઇકોર્ટ -૨૦૧૮ ) Citation : ૨૦૧૮ ( ૨ ) LL ૬૮૭ .
Saturday, June 12, 2021
New
સંપાદનનાં જાહેરનામાની તારીખે જમીનની બજારકિંમત નિશ્ચિત કરવા માત્ર જંત્રીના દરો ઉપર આધાર રાખી શકાય નહીં

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
Gavemant
Labels:
Gavemant
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment