ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા બાબત - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Thursday, June 24, 2021

ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા બાબત

 ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા બાબત , 

ગુજરાત સરકાર , મહેસૂલ વિભાગ , ઠરાવ ક્રમાંક : ગણત - ૨૬૯૯-૪૩૪૩ - ઝ સરદાર ભવન , બ્લોક નં .૧૧ , ૪ થો માળ , સચિવાલય , ગાંધીનગર , તા .૨૨.૧.૨૦૦૨ 

વંચાણમાં લીધો : 

મહેસુલ વિભાગનો તા .૧.૬.૨000 નાં ઠરાવ ક્રમાંક : ગણત / ર ૬૯૯૪૩૪૩ / ઝ .

  ઠરાવ


 મહેસુલ વિભાગના વંચાણે લીધેલા તા .૧.૬.૨૦૦૦ ના સરખા ક્રમાંકના ઠરાવ અન્વયે મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ -૧૯૪૮ અન્વયે ગુજરાત રાજયમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવાની પરવાનગી સદરહું ઠરાવમાં જણાવેલ નીચેની વિગત આપવાનું નક્કી કરવામાં આવેલ હતું . 

( ૧ ) ખેડૂતે જમીનનું વેચાણ કર્યા બાદ વેચાણની તારીખથી ૩ દિવસમાં જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને જાણ / અરજી કરવાની રહેશે . 

( ૨ ) કલેક્ટરશ્રીએ આવી અરજી મળ્યાની તારીખથી દિન -૩૦ માં ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવા નિર્ણય લેવાનો રહેશે અને કલેક્ટરશ્રી દ્વારા આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી અરજદારે ( ખેડૂતે ) ૯૦ દિવસમાં રાજયમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદ કરી લેવાની રહેશે . ઉપરોક્ત જોગવાઈઓના સંદર્ભમાં રાજયના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ . તેમની રજૂઆત અંગે સમગ્ર પણે વિચારણામાં લેતાં સરકારશ્રીએ તા .૧.૬.૨૦૦૦ ના સરખા ક્રમાંકના ઠરાવના ક્રમ -૨ માં જે જોગવાઈ કરેલ છે તેમાં ફેરફાર કરવાનું નક્કી કરેલ છે અને અગાઉના ક્રમાંક -૨ ની જગ્યાએ નીચે મુજબનો સુધારો અમલમાં મુકવાનો અને તે મુજબ કાર્યવાહી કરવાનું ઠરાવેલ છે . ક્રમ -૨ : કલેક્ટરશ્રીએ આવી અરજી મળ્યાની તારીખથી દિન -૩૦ માં “ ખેડૂત ” તરીકેનું પ્રમાણપત્ર આપણનિર્ણય લેવાનો રહેશે અને કલેક્ટરશ્રી દ્વારા આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી અરજદારે ખેડૂતો દિવસ -૧૮૦ ( છ માસ ) માં રાજયમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદ કરી લેવાની રહેશે . ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,

 ( ર.ગો.પ્રજાપતિ ) ઉપસચિવ , મહેસૂલ વિભાગ , ગુજરાત સરકાર

નોંધ - નવા સુધારા માન્ય રહેશે

No comments: