ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, June 24, 2021

ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા બાબત

 ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા બાબત , 

ગુજરાત સરકાર , મહેસૂલ વિભાગ , 

પરિપત્ર ક્રમાંક : ગણત - ૨૬૯૯-૪૩૪૩ - ઝ સરદાર ભવન , બ્લોક નં .૧૧ , ૪ થો માળ , સચિવાલય , ગાંધીનગર , તા .૧.૬.૨૦૦૦

 પ્રસ્તાવના 


મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ ની કલમ -૨ ( ૨ ) માં ખેડૂતની વ્યાખ્યા આપવામાં આવી છે તે અનુસાર “ ખેડૂત ” એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યક્તિ . જો કોઈ ખેડૂત પોતાની ખેતીની સમગ્ર જમીન વેચી નાંખે તો તે બિન ખેડૂત બની જાય છે . આમ તે ખેડૂત તરીકેનો દરજ્જો ગુમાવે છે . રાજયનાં કોઈ ખેડૂતને પોતાની ખેતીની જમીન વેચી રાજયમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય અને પોતાનો “ ખેડૂત તરીકેનો દરજ્જો જાળવી રાખવો હોય તો ખેતીની જમીન ખરીદવા વેચવા નીચે મુજબ મુશ્કેલી પડે છે . 

( ૧ ) સૌપ્રથમ રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદી લેવી પડે અને ત્યારબાદ પોતાની જમીન વેચવી પડે . આ માટે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે નાણાંની જરૂર રહે . પરંતુ કોઈ ખેડૂત પાસે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે નાણાં જ ન હોય ત્યારે પ્રથમ નાણાં માટે પોતાની જમીન વેચવી પડે .

 ( ૨ ) ખેડૂત તરીકેનો દરજ્જો જાળવી રાખવા માટે , તે થોડી જમીન પોતાની પાસે રાખી બાકીની જમીન વેચી શકે , પરંતુ આમ કરવામાં અન્ય કાયદાની જેમ કે , ટૂકડા ધારાની જોગવાઈ પણ ધ્યાને લેવાની રહે છે . આમ કાયદાની જોગવાઈ અન્વયે ઉભી થતી ઉપર્યુક્ત મુક્લીનિવારવાના હેતુ માટે થયેલ રજુઆતો અન્વયે પુખ્ત વિચારણાને અંતે સરકાર આથી નીચે મુજબ ઠરાવે છે . 

ઠરાવ

 રાજ્યનો કોઈ ખેડૂત પોતાની સમગ્ર જમીન ખેતીના હેતુ માટે અન્ય ખેડૂતને વેચી રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવા ઈચ્છા ધરાવે તો તેમ કરી શકશે . આ માટે ખેડૂત / કલેક્ટરે નીચે મુજબ કાર્યવાહી કરવાની રહેશે .

( ૧ ) ખેડૂતે જમીનનું વેચાણ કર્યા બાદ વેચાણની તારીખથી ૩૦ દિવસમાં જે તે જિલ્લાનાં કલેક્ટરશ્રીને જાણ | અરજી કરવાની રહેશે . 

( ૨ ) કલેક્ટરશ્રીએ આવી અરજી મળ્યાની તારીખથી દિન -૩૦ માં “ ખેડૂત ” તરીકેનું પ્રમાણપત્ર આપવા નિર્ણય લેવાનો રહેશે અને કલેક્ટરશ્રી દ્વારા આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી અરજદારે ( ખેડૂતે ) ૯૦ દિવસમાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદ કરી લેવાની રહેશે . કલેક્ટરશ્રીએ આ ઠરાવને યોગ્ય પ્રસિધ્ધિ આપવાની રહેશે . 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે , 

( કે.એસ.વાસાણી ) સેક્શન અધિકારી મહેસુલ વિભાગ , ગુજરાત સરકાર

નોંધ - નવા સુધારા માન્ય રહેશે

No comments: