યથાસ્થિતિ’ના હુકમમાં દાવાવાળી મિલકતની જે તે સ્થિતિ અંગે ચોક્કસ તારણો નોંધાયેલ હોવાં જોઈએ - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Tuesday, June 18, 2024

યથાસ્થિતિ’ના હુકમમાં દાવાવાળી મિલકતની જે તે સ્થિતિ અંગે ચોક્કસ તારણો નોંધાયેલ હોવાં જોઈએ

 ‘યથાસ્થિતિ’ના હુકમમાં દાવાવાળી મિલકતની જે તે સ્થિતિ અંગે ચોક્કસ તારણો નોંધાયેલ હોવાં જોઈએ

યથાસ્થિતિ’ના હુકમમાં દાવાવાળી મિલકતની જે તે સ્થિતિ અંગે ચોક્કસ તારણો નોંધાયેલ હોવાં જોઈએ


મિલકતના વિભાજન અંગેના દાવામાં STATUS QUO- એટલે કે યથાસ્થિતિનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૂળ વાદીએ સી.પી.સી.ના ઓર્ડર ૩૯ રૂલ- ૨-અ હેઠળ તેવા યથાસ્થિતિના હુકમના ભંગ બદલ પ્રતિવાદીને સજા કરવા અરજી દાખલ કરી હતી. જે હેઠળ પ્રતિવાદીને એક માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે વિરુદ્ધ હાઈકોર્ટમાં દીવાની ફેરતપાસ દાખલ કરવામાં આવી હતી, તે એવું જણાવીને કે, ટ્રાયલ કોર્ટ દ્વારા અપાયેલ યથાસ્થિતિના હુકમમાં દાવાવાળી મિલકતની વસ્તુ સ્થિતિ અંગે કોઈ તારણો નોંધવામાં આવ્યા નહોતા કે દાવાવાળી મિલકતનું હસ્તાંતરણ કરતાં કોઈપણ પક્ષકારને અટકાવવામાં આવ્યા નહોતા. જણાવવામાં આવ્યું હતું કે, નીચલી કોર્ટે એ બાબત નિશ્ચિત કરી નહોતી કે, તે કઈ યથાસ્થિતિ હતી કે જેને સંબંધિત કોર્ટ સુરક્ષિત કરવા માગતી હતી. ઠરાવવામાં આવ્યું હતું કે, નીચલી કોર્ટો ગંભીર અનિયમિતતા સાથે આગળ વધી હતી અને અરજદારને સજા કરવાનો ગેરકાયદેસરનો હુકમ કર્યો હતો.

(Ref.: લાલુ સિંઘ વિ. અરુણ સિંઘ- નામદાર પટના હાઈકોર્ટ-૨૦૧૪)

No comments: