જમીન ઉપરના હક્કોમાં થતાં ફેરફારના પ્રકાર.
સમજૂતી ૧. સામાન્ય રીતે નીચેના સંજોગોમાં હક્કોમાં ફેરફાર થતાં તેની નોંધ હક્કપત્રક પાડવાની થતી હોય છે.
(૧) હક્કપત્રકમાં જે વ્યક્તિનું નામ કબજેદાર તરીકે ચાલતું હોય તે ગુજરી જવાથી તેના વારસદાર તરીકે. (૨) ગુજરી જનાર કબજેદાર / ખાતેદારના રજિસ્ટર્ડ કે અનરજિસ્ટર્ડ (છેવટના) વીલથી હક્ક પ્રાપ્ત કરનાર તરીકે, (૩) સંયુક્ત ખાતેદારો અથવા ભાગીદારો વચ્ચેની વહેંચણી થવાથી, (૪) જમીનનો યોગ્ય બદલો આપીને ખરીદનાર તરીકે, (૫) જમીન અને તેના ઉપરના હક્કો ગીરો મુકવાથી લેવાથી, (૬) બક્ષિસથી, (૭) પટાની રૂએ, (૮) ગણોતિયા તરીકે હક્ક પ્રાપ્ત કરવાથી (૯) સક્ષમ મહેસૂલી અધિકારીઓના સરકારશ્રીના હુકમો અન્વયે સરકારી જમીન પટેથી કે કાયમી ધોરણે કોઈ વ્યક્તિ કે સંસ્થાને ગ્રાન્ટ થવાથી, (૧૦) ખેતીની જમીનનું બિન ખેતીમાં રૂપાંતર થવાથી કે એક બિન ખેતી ઉપયોગમાંથી બીજા બિનખેતી ઉપયોગમાં તબદીલી થવાથી, (૧૧) નવી શરતની કે મર્યાદિત સત્તા પ્રકારથી મળેલ જમીનને તબદીલી પાત્ર સત્તા પ્રકારમાં એટલે કે જૂની શરતમાં ફેરવવાથી, (૧૨) દીવાની કોર્ટનાં હુકમનામાંથી, (૧૩) કૌટુંબિક વહેંચણીથી કે કૌટુંબિક હક્ક જતો કરવાથી, (૧૪) મોહમેડન લૉ અન્વયે મૌખિક બક્ષિસથી અને, (૧૫) સર્વે નંબરના કે સર્વે નંબરના પેટા વિભાગનું એકત્રીકરણ નિયમ ૧૧ હેઠળ થાય વગેરે.
૨.૧ જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૧૩૫-સી મુજબ હક્ક સંપાદન કે તબદીલીથી મેળવતી વ્યક્તિએ તેવી તારીખથી ત્રણ મહિનાની મુદતમાં તલાટીને લેખિત રિપોર્ટ આપીને હક્ક સંપાદન કર્યાની કે તક્ષદીલીથી મેળવ્યાના ફેરફાર કર્યાની જાણ કરવાની થાય છે. અને તેમાં ચૂક થયે કલમ ૧૩૫ એફ હેઠળ શિક્ષા તરીકે રૂ।. ૨૫ સુધીની ફી ભરવાને પાત્ર ઠરે છે.
ર.ર. કલમ ૧૩૫ સી ની તા.૨૬-૧૨-૮૬ પહેલાની જોગવાઈ મુજબ મૌખિક વર્ષી ઉપરથી પણ તલાટી હક્કપત્રકે નોંધ પાડી શકે તેવી જોગવાઈ હતી. ગુજરાત વટહુકમ નં.૧૬/૮૬, તા.૨૬-૧૨-૮૬ થી મૌખિક જાણ કરવાની જોગવાઈ રદ થતાં હવે ફક્ત લેખિત જાણથી જ નોંધ પાડી શકાય છે.
૩. સગીર ઈસમ અથવા બીજી રીતે ગેરલાયક ઈસમ આવો હક્ક પ્રાપ્ત કરે ત્યારે તેના વાલી અથવા તેની મિલકતનો ચાર્જ ધરાવતી વ્યક્તિએ તલાટીને લેખિત રિપોર્ટ આપવાનો થાય છે.
૪. પડોશ હક્ક અથવા ગીરો ગણાય નહીં તેવા બોજા માટે કોઈ જાણ કે નોંધ કરવાની રહેતી નથી.
૫. વ્યક્તિ સગીરમાંથી પુષ્ઠ થાય ત્યારે અને જે વ્યક્તિની તરફેણમાં ગીરો છોડાવવામાં આવ્યો હોય અથવા નષ્ટ થયો હોય અથવા પટ્ટો પૂરો થયો હોય તેને હક્ક સંપાદન ગણવામાં આવેલ નથી એટલે કે તલાટી તેવો ફેરફાર સીધો રેકર્ડમાં કરી શકશે.
૬. રજિસ્ટર્ડ થયેલ દસ્તાવેજથી હક્ક સંપાદિત કરતી વ્યક્તિએ તલાટીને જાણ કરવી ફરજિયાત નથી પણ દસ્તાવેજ નોંધનાર રજિસ્ટ્રાર, આવા દસ્તાવેજ થાય તેના ઉતારા દર મહિને મામલતદારને મોકલશે. જે પછીથી ગામ દફતરે નોંધ માટે તલાટીને મોકલી આપવામાં આવશે કે જેના ઉપરથી તલાટીએ હક્કપત્રકે નોંધ કરવાની હોય છે.
૭. જમીન મહેસૂલ નિયમ ૧૧માં સર્વે નંબર કે સર્વે નંબરના પેટાવિભાગ એકત્રિત થાય ત્યારે મહેસૂલી દફતરમાં આવા એકત્રિત નંબરો માટે એકજ નોંધ થાય અને ગામના નમૂના નં.૭-૧૨માં એક પાનું બને છે આવા એકત્રિત થતાં સર્વે નંબરોમાં ક્રમમાં જે પહેલો સર્વે નંબર હોય તે સર્વે નંબર એકત્રિત સર્વે નંબરને અપાય છે અને આવા સર્વે નંબરો વચ્ચે આવતા હદ નિશાની દુર કરી નાખી ગામના નક્શામાં તે મુજબ સુધારો કરાય છે.
૮. મોઢાના કરારથી થતાં જમીન સંબંધના વ્યવહારોની નોંધતા.૨૫-૫-૬૦ સુધી હકપત્રકે કરવામાં આવતી હતી. પછીથી જમીન સંબંધેના વ્યવહારો અગત્યના હોઈ, રજિસ્ટર કરાવી લેવા સૂચનાઓ આપવાની નીતિ રાખવામાં આવી હતી. આમાંથી કૌટુંબિક વહેંચણના વ્યવહારો બાકાત રાખેલ છે. છેવટે તા.૨૫-૫-૧૯૬૬ ના પરિપત્રથી આવા વ્યવહારો રજિસ્ટર દસ્તાવેજ સિવાયના હોય તો તેવા દસ્તાવેજો રજિસ્ટર કરાવી લેવા સૂચના કરવાની જોગવાઈ કરી હતી પણ પછીથી તા. ૨૯- ૬-૬૭ ના પરિપત્રથી તેવી નોંધો નામંજૂર કરવા ઠરાવેલ છે.
૯. આ બાબતના નીતિવિષયક નિર્ણયો નીચે મુજબના છે.
No comments:
Post a Comment