નોંધાયેલ વેચાણ દસ્તાવેજ રદ કરવાની સમયમર્યાદા તેની જાણ થયાની તારીખથી ૩ વર્ષની છે - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Tuesday, December 27, 2022

નોંધાયેલ વેચાણ દસ્તાવેજ રદ કરવાની સમયમર્યાદા તેની જાણ થયાની તારીખથી ૩ વર્ષની છે

નોંધાયેલ વેચાણ દસ્તાવેજ રદ કરવાની સમયમર્યાદા તેની જાણ થયાની તારીખથી ૩ વર્ષની છે

જો કોઈ નોંધાયેલ વેચાણ દસ્તાવેજને રદ કરાવવાની જરૂર પડે તો તેને કેટલા સમયમાં રદ કરાવી શકાય તે અંગે આ કેસમાં નોંધવામાં આવ્યું હતું કે, સમયમર્યાદા અધિનિયમના આર્ટિકલ ૫૮ અને ૫૯ મુજબ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો, જે દિવસે આવો વેચાણ દસ્તાવેજ કરાયાની હકીકતની જાણ થાય ત્યારથી ત્રણ વર્ષની અંદર દાખલ કરવો જોઈએ. આ કેસમાં વેચાણ દસ્તાવેજ કરાયાની જાણ તા. ૧૨-૫-૧૯૭૧માં થઈ હતી, જ્યારે તેને રદ કરાવવાનો દાવો તા. ૧૨-૭-૧૯૭૮ના રોજ દાખલ કરવામાં આવ્યો હોઈ તેને સમયમર્યાદાથી પ્રતિબંધિત ઠરાવવામાં આવ્યો.




No comments: