સહિયારી માલિકીની મિલકતના કોઈ એક સહમાલિકનો વિરુદ્ધ કબજો (એડવર્સ પઝેશન) ગણાય નહીં
સામાન્ય રીતે સહમાલિકીની મિલકતમાં કોઈ એકજ એકજ માલિક દ્વારા તેવી મિલકતોનો વાપર-વપરાશ થતો હોય તો એવું અનુમાન કરવામાં આવતું હોય છે કે તેવી મિલકતનો કબજો અને માલિકી માત્ર તેવી મિલકતોનો વાપર-વપરાશ કરનાર વ્યક્તિનો ગણાય. પરંતુ હિન્દુ લૉ મુજબ સંયુક્ત મિલકતની માલિકી અને તેનો પ્રત્યક્ષ કે અપરોક્ષ કબજો દરેક સહમાલિકનો ગુણાય હિન્દુત્ર જલ્કત અંગેના દરેક સમાલિક તેવી મિલક્ત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓની સંયુક્ત મિલકતની માલિકી ગણાય. Possessory title એ Actual Title નાં હક્કની સરખામણીમાં મહત્ત્વનું નથી.
સહિયારી માલિકીની મિલકત રેવન્યૂ રકેર્ડમાં કોઈ એક સહમાલિકના નામે ચાલું હોય તેથી અન્ય સહમાલિકના હક્કનો ઈન્કાર થયેલ છે તેમ ઠરાવાય નહીં. અને આવી સહિયારી મિલકત કોઈ એક સહમાલિકના નામે ચાલતી હોવાથી જેના નામે ચાલતી હોય તેનો વિરુદ્ધ કબજો (એડવર્સ પઝેશન) ગણાય નહીં. પરંતુ એક સહમાલિકનો કબજો અન્ય સહમાલિકો વતી ગણાય તેવો સિદ્ધાંત દર્શનસિંધ વિ. ગુજજરસિંધના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ કેસની હકીકત ટૂંકમાં નીચે મુજબ છે.
બે ભાઈઓ હીરાસિંઘ અને જગજિતસિંથ ખેતીની જમીન ધરાવતા હતા. ત્યારબાદ બંને ભાઈઓને ખૂના કેસમાં જેલની સજા થઈ હતી. જેલવાસ દરમિયાન જગજિતસિંઘ જેલમાંથી ભાગી છૂટયા હતા જ્યારે હીરાસિંઘને પોતાની સજા માંથી મુક્તિ ો મુક્તિ મળતા હીરાસિંઘે જેલમાંથી બહાર છૂટ્યા બાદ તેઓની બંનેની સંયુક્ત માલિકીની જમીનનો સંપૂર્ણ કબજો હીરાસિંઘે લઈ લીધો હતો. ત્યારબાદ સને-૧૯૨૦ માં હીરાસિંઘ અવસાન પામેલા, જેનો લાભ લઈ સહહિસ્સેદારની પત્ની હરકોરબેને જમીનનો કબજો લઈ લીધો હતો. દ્વારા પોતાની હયાતી દરમિયાન રૂલિયાસિંથને દત્તક રાખેલ હતો. હીરાસિંઘના અવસાન બાદ સને-૧૯૩૦થી જમીનના રેવન્યૂ રેકર્ડમાં આખી જમીનમાં યાને જગજિતસિંધના હિસ્સા સહિતની જમીનમાં રૂલિયાસિંથનું નામ દાખલ કરવામાં આવેલું. ત્યારબાદ રૂલિયાસિંઘનું સને-૧૯૯૨ની સાલમાં અવસાન થતા તેમના પુત્રીના સંતાનો દર્શનસિંઘ, આલાસિંઘ અને પ્રિતમસિંઘનું નામ આ જમીનના રેવન્યૂ રેકર્ડમાં આખી જમીનમાં યાને જગજિતસિંઘના હિસ્સા સહિતની જમીનમાં તેઓનું નામ દાખલ કરવામાં આવેલું કે જેઓ નામદાર સુપ્રીમ કોર્ટના હાલના કેસના એપેલન્ટ છે.
આથી જગજિતસિંધના છઠ્ઠાવર્ગના સગોત્ર એવા ગુજજ ગુજજરસિંધને સુપ્રિમકોર્ટ કેસનું રિસ્પોન્ડન્ટે તેવી એન્ટ્રીઓને ચેલેન્જ કરેલ, પરંતુ તેમની અરજી કાઢી નાખવામાં આવેલ. ત્યારબાદ ગુજજરસિંઘે હીરાસિંઘના તેઓ સગોત્ર છે તેવું જાહેર કરવા તથા તેઓ બંનેના હિસ્સાની જમીન મેળવવા નામદાર સિવિલ ટ્રાયલ કોર્ટમાં દાવો દાખલ કરેલો. પરંતુ નામદાર નીચલી કોર્ટે તેવો દાવો રદ કરેલો અને એવું તારણ આપેલું કે દાવાવાળી જમીનમાં રૂલિયાસિંઘ અને તેઓના ગુજરવા બાદ તેમના વારસદારો વિરુદ્ધ કબજો (એડવર્સ પઝેશન) માં હતા. જેનાથી નારાજ થઈને ગુજરસિંઘે પ્રથમ એપેલેટ કોર્ટમાં અપીલ દાખલ કરેલી. જે કામે નામદાર કોર્ટે ગુજ્જર સિંઘની અપીલ અંશત: મંજૂર રાખવાનો હુકમ કરેલો. પરંતુ એપેલેટ કોર્ટે માત્ર જરૂજિતસિંધના હિસ્સાવાળી જમીન બાબતે જ હુકમ કરેલો. વધુમાં એપેલેટ કોર્ટે એવું તારણ આપેલ કે, પંજાબના રૂઢિગત પ્રણાલી મુજબ રૂલિયાસિંહ હીરાસિંહનો દત્તક પુત્ર હોય માત્ર હીરાસિંહના હિસાવાળી જમીનમાં હક મેળવવા હક્કદાર છે, પરંતુ , પરંતુ દાવાવાળી જગજિતસિંધની જમીનના હિસ્સાવાળી જમીનમાં હક્ક મેળવવા હક્કદાર નથી. અને નામદાર નીચલી કોર્ટે જગજિતસિંયની હિસ્સાવાળી જમીન અંગે વિરુદ્ધ કબજા (એડવર્સ પઝેશન) બાબતે કરેલ હુકમ એપેલેટ કોર્ટે રદ કરેલો. જેની સામે નામદાર હાઈકોર્ટમાં અપિલ કરવામાં આવેલી. જેમાં નામદાર હાઇકોર્ટે પણ એપેલેટ કોર્ટનો હુકમ માન્ય રાખેલો. પરંતુ નામદાર હાઈકોર્ટના હુકમની સામે હાઈકોર્ટ સમક્ષ બીજી વધારાની અપીલ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ થયેલી. જેમાં હાઈકોર્ટના હુકમમાં સુધારો કરવામાં આવેલો અને જગજિતસિંઘના હિસ્સાવાળી જમીનમાં પ્લેન્ટિફ ગુજજરસિંઘ અને બીજા સગોત્ર પાને સામાવાળા નં.૨ થી ૭ વચ્ચે હિસ્સા પાડવામાં આવેલા. જેનાથી નારાજ થઈને દર્શનસિધનુઓએ ગુજજરસિંધ વિરૂદ્ધ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલી.
સુપ્રીમ કોર્ટ સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ દાવાવાળી જમીનમાં રૂલિયાસિંઘ અને તેઓના અવસાન બાદ તેમના વારસદારો યાને હાલના એપેલન્ટો આ જમીનમાં સને-૧૯૩૦ થી કબજામાં હતા કે કેમ? તેમજ તેઓના નામ મ્યુટેશન રેકર્ડમાં હતા કે કેમ? તેમજ જગજિતસિંઘના હિસ્સાવાળી જમીનમાં એડવર્સ પઝેશન થકી તેઓના ટાઈટલ યોગ્ય હતા કે કેમ ? નામદાર સુપ્રીમ કોટે હાલના કેસમાં જણાવેલ કે જો કોઈ એક હિસ્સેદાર આખી જમીનના કબજામાં હોય તો તે કબજેદારનો તેવો કબજો બીજા સહહિસ્સેદાર પૂરતું એડવર્સ પઝેસન ગણાય નહીં. સિવાય કે બીજા સહહિસ્સેદારોને દૂર (Ouster) કરવામાં આવેલ હોય નામદાર સુપ્રીમ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, કાયદાની સાચી પરિસ્થિતિ એ છે કે સહમાલિકીની મિલકતનો કબજો કોઈ એક સહ માલિક પાસે હોય તો તે જમીનનો કબજો ધરાવે છે. સિવાય કે અન્ય સહમાલિકીના ટાઈટલનો ઈન્કાર કરીને સ્પષ્ટ રીતે તેઓને દૂર(0) કરી દેવામાં આવેલ હોય. વધુમાં તે જમીનની રેવન્યુ રેકર્ડમાં પણ સહમાલિકો પૈકી માત્ર એકનું જ નામ દાખલ થયેલ હોય તો પણ બીજા સહહિસ્સેદારોને દૂર કરવામાં આવેલ હોવાનું માનવામાં નહીં આવે. સિવાય કે એવી સ્પષ્ટ જાહેરાત હોય કે અન્ય સહમાલિકો તે પે તે જમીનના ટાઇટલ ધરાવતા નથી. આમ, નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ કે, હાલના કેસના એપેલન્ટોએ સાબિત કરેલ છે કે તેઓ જમીનમાં અવિરતપણે અને સતત કબજો ધરાવતા આવેલા છે. અને નામદાર સુપ્રીમ કોર્ટે એપેલન્ટોની અપીલ મંજુર રાખી હાઇકોર્ટ લેટર પેટન્ટ અપીલના કામે કરેલ હુકમ રદ કરેલો તેમજ નીચલી ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખેલો તેમજ પક્ષકારો વચ્ચેનો મૂળ દાવો રદ કરેલો.
આમ, ઉપરોકત કેસની સમગ્ર હકીકત જોતા સ્પષ્ટ થાય છે કે સહિયારી માલિકીની મિલકત રેવન્યૂ રેકર્ડમાં કોઈ એક સહમાલિકના નામે ચાલુ હોય તેથી અન્ય સહમાલિકાહક્કનો ઈન્કાર થયેલઈ થયેલ તેમ ઠરાવાય નહીં. અને આવી સહિયારી મિલકત કોઈ એક સહમાલિકના નામે ચાલતી હોવાથી જેના નામે ચાલતી હોય તેનો વિરુદ્ધ કબજો (એડવર્સ પઝેશન) ગણાય નહીં પરંતુ એક સહમાલિકનો કબજો અન્ય સહમાલિકો વતી ગણાય.
No comments:
Post a Comment