73-એએ ની જમીનમાં પુર્વમંજુરી વગર વેચાણ / બીનખેતી થવા બાબત.
હુકમ નંબર:- નં.મવિવિ/જમન/સત/૮/૨૦૧૬ તા.૧૧/૦૮/૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે, ઈશનપોર, તા. ઓલપાડના રે.સ.નં. ૧૩૯/૧ નો બ્લોક નં.૨૩૭ જેનું ક્ષેત્રફળ હે.o-૮૬-૦૦ ચો.મી જેનો આકાર રૂ.૭.૬૨ પૈસાવાળી ૭૩ એએ નિયત્રિંત સત્તાપ્રકાર વાળી જમીન અંગે.
કેસની ટૂંકી વિગત :-
૭૩ એએ નિર્યાત્રંત સત્તા પ્રકારે (૧) રવજીભાઈ ભંગડભાઈ ઉકાભાઇ ૨ાઠોડ (૨) ૨મીલાબેન તે ૨વજીભાઈ ભંગડભાઈની પત્ની (૩) તેજલબેન ૨વજીભાઈ (૪) યોગીનીબેન રવજીભાઈ (૫) સગીર ભાવીનકુમા૨ ૨વજીભાઈ રા.વા રમીલાબેન તે ૨વજીભાઈ ભંગડભાઇની પત્ની ના સંયુક્ત નામે ધારણ કર્તા આવેલા છે.જે બ્લોક નં.૨૩૭ વાળી જમીનમાંથી બ્લોક નં.૨૫૩ વાળી બિનખેતી થયેલ જમીનના માલિક સુંદરપાર્ક ભાગીદારી પેઢીના વહીવટકર્તા ભાગીદાર ભ૨તભાઇ શામજીભાઈ જળોદારએ અયોગ્ય અને ગેરકાયદેસર રીતે રસ્તો પસાર કરેલ હોય આ કામના જમીન માલિક મીલાબેન રમાઈ રાઠોડે મામલતદા૨ ઓલપાડને તા.૧૬/૬/૨૦૧૫ થી અરજી કરતાં મામલતદાર ઓલપાડના પત્ર શેરા ક્રમાંક જમન/ઈશનપો૨/૭૩એએ શરતભંગ/ વશી.૪૩૧૨/૨૦૧૫ થી તપાસણી અહેવાલ ૨જુ ક૨તાં જમીન મહેન્સુલ કાયદાની કલમ ૭૩ એએ ની જોગવાઈઓનો ભંગ થતો હોય નાયબ કલેકટરશ્રી ઓલપાડ પ્રાંત ઓલપાડએ કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધ૨વા જમીન માલિકની અરજી કેન્સ ૨જીસ્ટરે ચઢાવી કેસની સુનાવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી.જેમાં નાયબ કલેકટરશ્રી ઓલપાડ પ્રાંત એ તેમના તા.૩/૭/૨૦૧૬ ના હુકમથી આ તમામ બ્લોક એકત્ર થવાથી નવો બ્લોક નં.૨૫૨ વાળી જમીનમાં રહેણાંકના હેતુ માટે રીવાઇઝ બિનખેતી પરવાનગી અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરતના હુકમ તા.૨૭/૮/૨૦૧૫ થી બીનખેતીની પરવાનગી આપવામાં આવેલ છે અને જે પરવાનગી સાથે મંજુ૨ થયેલ પ્લાનમાં દર્શાવ્યા મુજબ બ્લોક નં.૨૩૭ વાળી જમીનમાંથી પણ રસ્તો મંજુર કરેલ હોવાનું જણાતાં હાલના કબજેદારોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરતના તા.૨૭/૮/૨૦૧૫ ના હુકમ સામે અપીલ રાહે દાદ મેળવવા તથા હાલના પક્ષકારોને આપેલ ૭૩ એએ ની નોટીસ દફતરે કરવા હુકમ કરવામાં આવેલ છે.જે હુકમ સામે હાલના અ૨જદા૨શ્રીઓએ નામદા૨ ગુજરાત હાઈકોર્ટમાં ૨૫.સી.એ.નં.૧૮૧૮૫/૨૦૧૬ દાખલ કરવામાં આવેલ જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના તા.૨૧/૧૦/૨૦૧૬ ના ઓર્ડર થી જમીન મહેન્સુલ કાયદા અન્વયે સક્ષમ કોર્ટમાંથી દાદ મેળવી લેવાના સુચના થી અરજદારશ્રીએ નાયબ લેકટરશ્રી ઓલપાડ પ્રાંત ઓલપાડના વાદગ્રસ્ત હુકમ સામે અત્રે સમક્ષ તા.૮/૧૧/૨૦૧૬ ના રોજ રીવીજન અરજી દાખલ કરવામાં આવેલ છે,જેમાં અત્રેના તા.૧૧/૮/૨૦૧૭ ના રોજના હુકમથી અરજદારની રીવીઝન અરજી મંજુર કરવામાં આવેલ.
એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
આ તમામ બ્લોક એકત્ર થવાથી નવો બ્લોક નં ૨૫૨ વાળી જમીનમાં રહેણાંકના હેતુ માટે રીવાઇઝ બીનખેતી પરવાનગી અંગે જિલ્લા વિકાન્સ આધકારીશ્રી સુરતના તા.૨૭/૮/૨૦૧૫ થી બીનખેતીની પરવાનગી આપવામાં આવેલ છે જે પરવાનગી સાથે મંજુ૨ થયેલ પ્લાનમાં દર્શાવ્યા મુજબ બ્લોક નં.૨૩૭ વાળી બીનખેતી પ્રિમીયમ પાત્ર તથા ૭૩ એએ સત્તા પ્રકા૨વાળી જમીનમાંથી ૨૨તો મંજુર કરેલ હોવાનું જણાય છે.આ બાબતની સક્ષમ અધિકારીની મંજુરી લેવામાં આવેલ નથી. રજુ થયેલ રેકર્ડમાં પંચધ્યાસ ધ્યાને લેતાં બ્લોક નં.૨૩૭ માંથી સાયણ-ઓલપાડ સાયણ રોડની ઈક્ષણ જમીન આવેલ છે.બ્લોક નં.૨૫૩ ના માલિકી રોયલ પાર્કના ભાગીદારોએ આવવા-જવા માટે કાચો રોડ બનાવેલ છે.દિવાલ બનાવવામાં આવેલ છે.ઈલેક્ટ્રીક લાઈટના થાંભલા નાંખવામાં આવેલ છે. આમ, જમીન મહેસુલ કાયદાની કલમ ૭૩ એએ નો ભંગ થયેલાનું જણાય છે. મુંબઇ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ હેઠળ કલમ ૭૩ એ પછી નવી કલમ ૭૩ એએ ૭3 એબી, ૭૪ એસી, ૭૩ એડી સને ૧૯૮૦ ના મુંબઈ જમીન મહેસુલ (ગુજરાત દ્વિતીય સુધારા) અિિનયમ-૧૯૮૦,ગુજરાત ર્વાર્ધનયમ ૩૭ ઓફ ૧૯૮૦ થી ઉમેરવામાં આવેલ છે.ઉક્ત અધિનિયમ હેઠળ સમગ્ર રાજયમાં કોઈપણ સ્થળે આદિજાતીના લોકોએ ધારણ કરેલ જમીન ક્લેક્ટરશ્રીની પુર્વમંજુરી મેળવ્યા સિવાય તબદીલ ક૨વા ૫૨ નિયત્રંણ મુકવામાં આવેલ છે. કલમ ૭૩ એએ પેટા કલમ (૧) અનુસા૨ ૨ાજયમાં કોઈ આદિવાસીની જમીન કલેકટરશ્રીની અગાઉથી મંજુરી મેળવ્યા સિવાય બીજા કોઈને ફેરબદલ થઈ શકશે નહી. તેવી જોગવાઇ કરેલ છે.આ કેસમાં જમીન મહેન્સુલ કાયદાની કલમ ૭૩એએ ની જોગવાઇ નો ભંગ થયેલ છે.
અરજદારની રીવીઝન અરજી મંજુર કરી નાયબ કલેકટરશ્રી ઓલપાડ પ્રાંતનો તા.૩/૭/૨૦૧૬ તથા તા.૨૦/૭/૨૦૧૬ નો હુકમ રદ કરવામાં આવેલ અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી સુ૨તનો તા.૨૭/૮/૨૦૧૫ થી બીનખેતીની પરવાનગી આપતો હુકમ રદ કરવામાં આવેલ છે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાડીય બાબતો:- (૧)જમીન મહેસુલ કાયદાની કલમ ૭૩ એએ, ૭૩ એબી, ૭૩ એડી, ૭૪ એસી
(૨) મહેસુલ વિભાગનો પરિપત્ર ક્રમાંક અદજ/૧૦૨0003/૨૬૩/જ તા.૧૭/૩/૨૦૦૬
No comments:
Post a Comment