૧૪ દિવસ વિલંબમાં ખેડુત ખાતેદાર મટી જવા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, February 14, 2023

૧૪ દિવસ વિલંબમાં ખેડુત ખાતેદાર મટી જવા બાબત

 ૧૪ દિવસ વિલંબમાં ખેડુત ખાતેદાર મટી જવા બાબત

હુકમ નંબર :- વિવિ/પ/અમલ/૭૭/૨૦૧૩, તા.૧૫/૧૧/૨૦૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે, સનાળીયા, તા. લીલીયા, જિ.અમરેલીના સ.નં./બ્લોક નં.૨૪ તથા ૨૬ વાળી જમીન

કેસની ટૂંડી વિગત :-

મોજે. સનાળીયાના તા.લીલીયા, જી.અમરેલીના હક્કપત્રક ટીમ દ્વારા રેવન્યુ રેકર્ડની ચકાસણી કરતાં સનાળીયા ગામના ખેડુત ખાતેદાર શ્રીરામભાઇ નરશીભાઈ પાનસુરીયાતા ખાતે સર્વે નં.૨૪ પૈકી એ.૫-૨૯ ગું. તથા સર્વે નં.૨૬ ની જમીન ચાલે છે. જે જમીન નોંધ નં.૬૬ થી તેમણે શ્રી મુળુભાઇ સામયભાઇ બોદર વિ.૫ ને ૨૦૨૮૨ વેચાણ દ૨તાવેજ થી વેચાણ આપેલ છે, જે નોંધ નં.૬૬ તા:૧૬/૦૬/૫ થી મંજુર થયેલ છે, જે નોંધના કાગળો તપાસતાં તેમાં ખરીદનાર ખેડુત ખાતેદાર હોવા અંગેના સબંધકર્તા મામલતદારશ્રીનો દાખલો સામેલ નથી. પરંતુ તલાટી કમ મંત્રી ભાણવડીયા તા.મહુવાનો દાખલો સામેલ છે. જે તા:૨૦/૧૨/૯૪ માં શ્રી નાજાભાઈ મુળુભાઈ રાગી-૨ના વાલી મુળુભાઇ સામતભાઇ અગાઉ ખેડુત ખાતેદાર હતા. પણ તેમણે જમીન વેચી દીધેલ તેવો દાખલો તથા જુના ૮-અ ની નકલ સામેલ કરેલ છે. જમીન ખરીદ કરનાર નાજાભા મુળુભાઇ, શ્રી મુળુભાઇ સામતભાઇ, શ્રી બહાદુ૨ભાઈ મુળુભાઇ, શ્રી ભરતભાઇ મુળુભાઇ તથા શ્રી રાવતભાઇ મુળુભાઇ ખાતેદાર હોવા અંગેના કોઇ આધાર ન હોવાથી નોંધ રીવીઝનમાં લેવા મામલતદારશ્રી, અમરેલીએ તા:૦૧/૧૨/૦૬ ના પત્ર નં.હકપ/ટીમ નં.૩/૫૬૧૦/૦૬ થી દરખાસ્ત ૨જુ ક૨તાં કલેક્ટરશ્રી અમરેલીએ તેઓના તા:૨૪/૦૬/૨૦૧૩ ના હુકમ નં.આર.ટી.એસ./નોંધ રીવીઝન કેન્સ નં.૯૭/૨૦૧૨ ના હુકમથી ફેરફાર નોંધ નં.૦૯ પ્રમાણીત થયા તા:૧૬/૦૬/૯૫ ના વ્યવહારો રીવીઝનમાં લઈ ૨૬ કરવા હુકમ કરતાં આ હુકમથી નારાજ થઇ અરજદારે ખાસ સચીવશ્રી, મહેસુલ વિવાદ, અમદાવાદ સમક્ષ ફેરતપાસ અરજી રજુ કરેલ છે.

* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

અરજદારે તેમનાં નામે ચાલતી ભાણવડીયા ગામનાં સર્વે નં.૧૪/૩ પૈકી જમીન તા:૦૪/૦૫/૧૯૯૨ ના રોજ વેચાણ કરેલ છે. જેની ગામ દફ્તરે ફેરફાર નોંધ નં.૨૮૮ તા:૨૧/૫/૧૯૯૨ ના રોજ પડેલ છે. જે નોંધ તા:૨૪/૦૬/૨ ના રોજ પ્રર્માણત થયેલ છે. આ નોંધ પડ્યા તે પહેલા રેકર્ડમાં તેમનું નામ ચાલતું હતુ. અરજદારે સનાળીયા ગામની જમીન તા:૧૮/૦૫/૧૯૯૨ ના રોજ ખરીદ કરેલ છે. આમ,ઉક્ત જમીન તા:૦૪/૦૫/૯૨ ના રોજ વેચાણ કરેલ છે. અને તુર્તજ તા:૧૮/૦૫/૯૨ ના રોજ અન્ય જમીન વેચાણ રાખેલ છે. જેથી ૧૪-દિવસ બાદ જમીન ખરીદ કરેલ છે. તદ્દઉપરાંત, અ૨જદા૨ તેમજ તેના પિતા નોંધ નં.૧૫૬ તા:૨૨/૦૮/૧૯૮૦ થી ખેડુત ખાતેદ૨ છે. તેના પુરાવા રજુ કરેલ છે. આમ, અંદાજે ૩૩ વર્ષથી ખેડુત ખાતેદાર ને ફક્ત ૧૪-દિવસના વિલંબ માટે બીનખેડુત ઠરાવું યોગ્ય જણાતું નથી. જે ટેકનીકલતિ હોવાથી, ટેકનીકલ ક્ષતિ ધ્યાને રાખી સ૨કા૨શ્રીના ઠરાવોની જોગવાઇ ધ્યાને લઈ કલેક્ટરશ્રી, અમરેલીનો તા:૨૪/૦૬/૨૦૧૩ નો વાદગ્ર૨ત હુકમ ક્ષતિયુક્ત હોવાથી અરજદારની ફેરતપાસ અરજી અંશત: ગ્રાહ્ય રાખી આ કામમાં નવેસરથી નિર્ણય લેવા તેમજ પ્રવર્તમાન કાયદા/ઠરાવો/પરિપત્રોની જોગવાઈઓ ધ્યાને લઇને ગુણદોષ આધારે નિર્ણય ક૨વા કલેક્ટ૨શ્રીને કામ રીમાન્ડ કરવા બાબતે હુકમ કરવામાં આવે છે.

અરજદારની ફેરતપાસ અ૨જી અંશત:મંજુ૨ ક૨ી,કલેક્ટરશ્રી અમરેલીનો તા:૨૪/૦૬/૨૦૧૩ નો હુકમ નંબ૨ આર.ટી.એસ./નોંધ રીવીઝન કેલ્સ નં.૯૭/૨૦૧૨ ૨૬ કરી હુકમમાં ચર્ચા કર્યા મુજબ નિયમ૨ા૨ની કાર્યવાહી ક૨વા કામ કલેક્ટરશ્રીને રીમાન્ડ કરવામાં આવે છે.


* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-

(૧) સરકારશ્રીના મહેસુલ વિભાગ ગાંધીનગર તા:૦૧/૦૬/૨૦૦૦ ના ઠરાવ ક્રમાંક: ગણત/૨૬૯૯/૪૩૪૩/૪ (૨) મહેસુલ વિભાગનાં ઠરાવ ડમાંક : ગણત-૨૨૯/M LA૯/૪ તા.૧/૭/૨૦૦૯


No comments: